ગોંડલના શ્રી સરસ્વતી શીશુમંદીર સ્કુલમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના આયોજનમાં અને ઝોન સંયોજક અપૂર્વભાઈ મહેતા તથા જિલ્લા સંયોજક રજનીશભાઈ પટેલ અને નીતિનભાઈ ભેંસજાળિયાના માર્ગદર્શન હેઠળ ભારત માતાની તથા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની સ્થાપના વિધીવિધાન દ્વારા કરવામાં આવી હતી. તેમજ સાથેસાથે પુસ્તકાલય માટે કબાટ તથા ૫૧ પુસ્તકો શીશુમંદીર સ્કુલને અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ગોંડલ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, માર્કેટ યાર્ડ પ્રમુખ ગોપાલભાઈ શીંગાળા, યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપના ભાવિકભાઈ દોંગા, રુતમ જોશી તથા સાગરભાઈ કયાડા, વીશ્ચ હિન્દુ પરિષદના ધર્મેન્દ્રભાઈ રાજાણી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નીર્મળસીંહ ઝાલા, ભુપતભાઈ ચાવડા, હરેશભાઈ સોજીત્રા, અનીલભાઈ ગજેરા, પ્રીન્સીપાલ યોગેન્દ્રસીંહ ઝાલા, જીગ્નેશભાઈ માયાણી, દિગ્વિજયસિંહ જાડેજા વગેરેએ હાજરી આપી હતી.
Trending
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ