Abtak Media Google News

રાજકોટમાં સદ્દજયોતા ચેરિટેબલ ટ્રસ્ટ તથા વિવિધ જીલ્લાઓમાં ખોડલધામ સમિતિ દ્વારા આયોજન: રાજકોટમાં ૧૨૦૦ તથા ગુજરાતમાં ૫૦૦૦ ની વધુ રકતની બોટલ એકત્રીત થશે

રકત એ અમુલ્ય વસ્તુ છે પૈસા આપવા છતાં રકત મળી શકતું નથી. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રણેતા નરેશભાઇ પટેલના જન્મદિવસે રકતદાન કેમ્પનું આયોજન કરીને દરીદ્ર નારાયણની સેવા કરવામાં આવે છે. દરેક સમાજના લોકોને મુશ્કેલીના સમયમાં રકત મળી રહે તે માટે રાજકોટ સહીત રાજયમાં ઠેર ઠેર મેગા રકતદાન કેમ્પનું નરેશભાઇ પટેલના જન્મદિવસે ૧૧ જુલાઇના રોજ આયોજન કરવામાં આવ્યું છે. રકતદાન કેમ્પમાં રાજકોટ ખાતે ૧૨૦૦ તથા સમગ્ર રાજયમાંથી ૫૦૦૦ રકતની બોટલ એકત્રીત થાય અને જ‚રીયામંદ લોકોને મળી રહે તે પ્રકારનું આયોજન ખોડલધામ ટ્રસ્ટની વિવિધ જીલ્લા સમીતી તથા રાજકોટના સદજયોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

૧૧ જુલાઇના એટલે કે આવતીકાલે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલના ૫૩માં જન્મદિવસ નીમીતે રાજકોટ સહીત સમગ્ર રાજયમાં ઠેર ઠેર રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નરેશભાઇ પટેલની પહેલેથી જ ઇચ્છા રહી છે કે તમામ વર્ગના લોકોને અમુલ્ય ભેટ આપવી. રકતએ એવુ વસ્તુ છે જે પૈસા ખર્ચાવા છતાં યોગ્ય સમયે મળી શકતું નથી. રકતએ મૃત્યુની પથારી પર સુતેલી વ્યકિતને નવજીવન આપે છે. ત્યારે રાજકોટમાં અને રાજયમાં ૧૧ જુલાઇના રોજ યોજાનાર રકતદાન કેમ્પમાં ૫૦૦૦ થી વધુ બોટલ એકત્રીત કરવાનો સ્વયં સેવકોએ લક્ષ્યાંક નકકી કર્યો છે. રાજકોટમાં આયોજીત રકતદાન કેમ્પમાં સીવીલ હોસ્૫િટલ બ્લડ બેંક રેડક્રોસ બ્લડ બેક તથા નાથાણી બ્લડ બેંક સહયોગ આપશે.

રાજકોટમાં  સરદાર પટેલ ભવન ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે મવડી પ્લોટ સમય સવારે ૮ થી ૧૨ અમરેલીમાં ખેડુત તાલીમ કેન્દ્ર લીલીયા રોડ ખાતે સમય બપોરે ૪ થી સાંજના ૮ વાગ્યા સુધી

ભાવનગરમાં ખોડલધામ જીલ્લા કાર્યાલય ૭૭૧-એ વિજયરાજ નગર યુનિવર્સીટી ગેઇટની સામે ભાવનગર સમય સવારે ૯ વાગ્યાથી

બોટાદમાં પટેલ સમાજની વાડી હિફલી બોટાદ સમય સવારે ૮.૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધી

પાટણમાં મ્યુઝીયમ હોલ કોલેજ કેમ્પસ સવાચરે ૮.૩૦ કલાકે

ભ‚ચમાં ખોડલધામ જીલ્લા સમીતી તથા જગડીયા તાલુકા સમીતી ઉપક્રમે રાણીપુરા પ્રાથીમક શાળા તાલુકો જગડીયા ભ‚ચ સયમ સવારે ૯ થી બપોરે ૧ર

વડોદરામાં પટેલ પંચની વાડી ગોરવા ગામ વડોદરા-૧૬ સમય ૯ થી ૧ અને અરવલ્લી માં મોર ડુંગળી ગામ જલારામ મંદીર તાલુકો માલપુર સમય સવારે ૯ થી ૧૧ રકતદાન કેમ્પ યોજાશે.

જુનાગઢ ગીરસોમનાથમાં  નરેશભાઇ પટેલના જન્મદિવસ નીમીત્તે જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લા સ્વયંસેવકો દ્વારા સમુહ દિપયજ્ઞ અને અંધશાળામાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. કયાડાવાડી જોષીપુરા ખાતે બપોરે ર થી પ દિપયજ્ઞ અને સાંજે ૬ થી ૯ અંધશાળામાં ભોજન કરાવવામાં આવશે. સુરતમાં સવારે ૮ વાગ્યેથી સીવીલ હોસ્૫િટલમાં ફુટ પેકેટ વિતરણ કરવાનું કાર્યકર્તાઓ દ્વારા આયોજન કરાયું છે. જામનગર ખોડલધામ જીલ્લા સમીતી દ્વારા બપોરે ૧૧ થી ૧ દરમીયાન અનાથ બોળકોને ભોજન તથા ‚દ્રીયજ્ઞ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.