Abtak Media Google News

ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાતા રાહત

 

દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ખારીરોહર વિસ્તારમાં આવેલી એચપીસીએલની પેટ્રોલ લાઈનમાં એકાએક આગ ભભુકતા દોડધામ મચી હતી. સુત્રોએ જણાવ્યું કે કંડલાના ખારીરોહર વિસ્તારથી પસાર થતી એચપીસીએલની પેટ્રોલ લાઈનમાં કોઇ રીતે આગ ભભુકી ઉઠી હતી. રાત્રીના 9 વાગ્યે ભભુકેલી આગને બુઝાવવા 4 ફાયર ટેન્ડર, 30 અગ્નીશમન દળ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને કલાકો સુધી ફોર્મનો મારો ચલાવીને તેના પર કાબુ લેવાયો હોવાનો દાવો પોર્ટ પ્રશાસને  કર્યો હતો. અનુભવી અસીમ ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ સ્ટેશન ઓફિસર ખાલસા, એડવર્ડ બ્રેડી સહિતના અગ્નીશમન દળના જવાનોએ આ માટે જહેમત ઉઠાવી હતી. દરમ્યાન કંડલામાં આ પ્રકારની આગના સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકોમાં જાત ભાતની ચર્ચા ઉઠી હતી, પરંતુ ડરવાની વાત ન હોવાનું પોર્ટ સુત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.