Abtak Media Google News

અનૈતિક સંબંધ બાંધવા વ્યંઢળે દુધરેજ કેનાલ પાસે બોલાવી યુવાનને નિર્વસ્ત્ર કરી પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દીધી

મંડપ સર્વિસના ધંધાર્થીને જીવતો સળગાવી મોબાઈલની લૂંટ ચલાવી ભાગી  છૂટેલા વ્યંઢળને પોલીસે દ્વારકાથી ઝડપી લીધો

સુરેન્દ્રનગરના નિર્મળનગર પાછળ આવેલા બંસીધર પાર્કના મંડપ સર્વિસના ધંધાર્થી અને નવી એસ.પી. સ્કુલ પાસે રહેતા વ્યંઢળ વચ્ચેના અનૈતિક સંબંધ બગડતા વ્યંઢળે યુવકને દુધરેજ નર્મદા કેાલ પાસે અનૈતિક સંબંધ બાંધવા બોલાવી નિર્વસ્ત્ર  કર્યા બાદ પેટ્રોલ છાંટી જીવતો સળગાવી મોબાઈલની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા વ્યંઢળ સામે લૂંટ અને હત્યાની કોશિષનો ગુનો નોંધી પોલીસે દ્વારકાથી તેની ધરપકડ કરી છે.

સુરેન્દ્રનગર મૂળચંદ પાસેની નર્મદા કેનાલ ઉપરથી સળગેલી હાલતમાં મંડપ સર્વિસનો વ્યવસાય કરતો  ધીરૂભાઈ લક્ષ્મણભાઈ પરાલીયા યુવાન મળી આવ્યો હતો. આ યુવાનને કોણે સળગાવ્યો તે અંગે રહસ્ય ઘેરાયું હતું. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી દીધો છે. જેમાં અનૈતિક સબંધ બાંધવાના દબાણથી વ્યંઢળે યુવાનને બોલાવી પેટ્રોલ છાંટીને સળગાવી દીધો હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.

પોલીસે આ વ્યંઢળની દ્વારકાથી ધરપકડ કરી સુરેન્દ્રનગર લાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર બંસીધર સોસાયટીમાં રહેતો અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા રાત્રીના 9 વાગે મંડપ નાખવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.બાદમાં રાત્રે 1.30 વાગ્યાના અરસામાં તે સળગેલી હાલતમાં નર્મદા કેનાલ ઉપરથી મળી આવ્યો હતો. યુવાને તે સમયે પોલીસને એવું જણાવ્યું હતું કે તેને કોઇ અજાણ્યા શખસોએ સળગાવ્યો છે. પરંતુ બાદમાં આ યુવાન નિવેદન બદલતો રહેતો હોય પોલીસને સમગ્ર ઘટનામાં કાઇ બીજુ જ કારણ હોવાની આશંકા ગઇ હતી.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ધીરૂભાઇ પરાલીયાને  નવી એસ.પી.  સ્કુલ પાસે રહેતા યોગેશ ઉર્ફે સાનિયા નરસિંહભાઈ મોણપરા   નામના વ્યંઢળ સાથે અનૈતિક સબંધ હતો. બંને ઘણા સમયથી આવા સબંધથી જોડાયેલા હતા.પરંતુ થોડા સમયથી સનાયા આ સબંધ રાખવાની ના પાડતી હતી. સામે ધીરૂભાઇ સબંધ બાંધવા દબાણ કરતો હતો.આથી બંને વચ્ચે ખટરાગ ચાલતો હતો.

બાદમાં ધીરૂભાઇના ત્રાસથી   છૂટવા માટે યોગેશ ઉર્ફે સનાયાએ  ધીરૂ પરાલીયાને દુધરેજ કેનાલ પાસે  અનૈતિક સંબંધ બાંધવાની લાલચ દઈને બોલાવ્યો હતો. ધીરૂ પરાલીયાએ પોતાના કપડા કાઢ્યા બાદ વ્યંઢળ સનાયા ઉર્ફે યોગેશ નરશી વણપરાએ પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી તેને  મોબાઈલ લૂંટી દ્વારકા ભાગી ગયાની કબુલાત આપી છે. ગંભીર રીતે દાઝેલા ધીરૂભાઈ પરાલીયા પરિણીત છે. અને તેને સાત વષર્ષની પુત્રી છે. વ્યંઢળ સાથે ધરાર અનૈતિક સંબંધનો કરૂણ અંજામ  આવ્યાનું પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.