Abtak Media Google News

કાનપુરમાં મંગળવારે એક મોટી રેલ દુર્ઘટના ટળી ગઈ હતી. અહીં એક જ ટ્રેક પર 3 ટ્રેનો આવી ગઈ હતી. ત્રણેય ટ્રેનો વચ્ચે માત્ર 100 મીટરનું જ અંતર હતું. સારી વાત એ હતી કે જાણ થતાં જ ત્રણેય ટ્રેનોને રોકી લેવામાં આવી હતી.

ક્યાં થઈ આ રેલ દુર્ઘટના?

આ ઘટના અલાહાબાદ ક્રોસિંગથી માત્ર એક કિલોમીટરના અંતરે થઈ હતી. ઘટના અંદાજે સવારે 10 વાગે થઈ હતી. દુરંતો એક્સપ્રેસ, હટિયા આનંદ વિહાર એક્સપ્રેસ અને મહાબોઘિ એક્સપ્રેસ એકબીજાની પાછળ આવી ગઈ હતી. સાક્ષીના જણાવ્યા પ્રમાણે ત્રણેય ટ્રેન વચ્ચે માત્ર 100 મીટરનું જ અંતર હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.