Abtak Media Google News

સરપંચ દાનસીંગ મોરીના મામલે જસાભાઈ બારડે જીતુભાઈ વાઘાણીનું સમર્થન કર્યું હતું

બીજેપી પ્રમુખ જીતુ વાઘાણીના બચાવમાં ઉતરેલા કારડિયા રજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડથી સમાજ ખફા છે. ગુજરાત રાજયના પાણી પુરવઠા મંત્રી જશાભાઈ બારડ તેઓ અખિલ ગુજરાત કારડિયા રજપૂત સમાજના પ્રમુખ પણ છે. તેમણે સ્ટેટ બીજેપીના પ્રમુખ જીતુભાઈ વાઘાણીના એક નિવેદન મામલે તેમનો બચાવ કર્યો હતો. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે જીતુભાઈ વાઘાણીએ કારડિયા રાજપૂત સમાજના આગેવાન અને બુધેલ ગામના સરપંચ દાનસિંગ મોરી સામે ખોટા કેસ ઉભા કર્યા છે તેવો આક્ષેપ કારડિયા રાજપૂત સમાજનો છે.

ભાવનગરના ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી જસાભાઈ બારડની પ્રેસ કોન્ફરન્સ કારડિયા રાજપૂત સમાજના કાર્યકરોએ ચાલવા દીધી ન હતી. તેમજ તેમની કારને ઘેરાવ કરી સુત્રોચ્ચાર કર્યો હતો. તેમની માગ છે કે દાનસીંગ મોરી સામે કરાયેલા તમામ કેસ પાછા ખેંચવામાં આવે. દાનસીંગ મોરી પણ કારડિયા રાજપૂત સમાજના ટોચના આગેવાન છે અને અત્યારે સરપંચપદે છે તેમને બુધેલ ગામ ઉપરાંત રાજયભરના કારડિયા રાજપૂત સમાજનો ટેકો છે. અહીં સવાલ એ થાય છે કે ચૂંટણી ઢુકડી છે ત્યારે બીજેપીને કારડિયા રાજપૂત સમાજની નારાજગી શું પાલવશે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.