Abtak Media Google News

સૌરાષ્ટ્રની ચાર મહાપાલિકા રાજકોટને રૂ. 4.48 કરોડ, ભાવનગરને રૂ.2.09 કરોડ, જામનગરને રૂ.1.98 કરોડ, જૂનાગઢને  રૂ.1.04 કરોડની ફાળવણી

પૈસાના વાંકે રાજયની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાંવિકાસ કામો  પર કોઈ અસર ન થાય તે માટે રાજય સરકાર દ્વારા સમયાંતરે  ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે. રાજયની આઠ મહાપાલિકાને વિકાસ કામો માટે રૂ.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

રાજ્યની 8 મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે  પ0 કરોડ રૂપિયાની ફાળવણી  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામા આવી છે. જેમા

અમદાવાદને રૂ. 18.53 કરોડ-સુરતને રૂ. 15.12 કરોડ- વડોદરાને રૂ. પ.67 કરોડ- રાજકોટને રૂ. 4.48 કરોડ- ભાવનગરને રૂ. 2.09 કરોડ- જામનગરને રૂ. 1.98 કરોડ-જૂનાગઢને રૂ. 1.04 કરોડ-ગાંધીનગરને રૂ. 1.07 કરોડની રકમ ફાળવાશે. રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મહાનગરો-નગરોના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે અત્યાર સુધીમાં રૂ. 637.50 કરોડ ફાળવાયા. મહાનગરપાલિકા વિસ્તારની જનસંખ્યા તથા આઉટગ્રોથ વિસ્તારની વસ્તીને ધ્યાનમાં લઇ ભૌતિક આંતરમાળખાકીય સુવિધા-રોડ-રસ્તા, પાણી, ગટર લાઇન,  સ્ટ્રીટલાઇટ સુવિધા માટે આ રકમનો ઉપયોગ કરાશે.

મુખ્યમંત્રીએ આ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જે રકમ ફાળવી છે તેમાં અમદાવાદને રૂ. 18.પ3 કરોડ, સુરતને રૂ. 15.12 કરોડ, વડોદરાને રૂ. 5.67 કરોડ, રાજકોટને રૂ. 4.48 કરોડ, ભાવનગરને રૂ. 2.09 કરોડ તેમજ જામનગરને રૂ. 1.98 કરોડ અને જૂનાગઢને રૂ. 1.04 કરોડ તેમજ ગાંધીનગરને રૂ. 1.07 કરોડની રકમનો સમાવેશ થાય છે.

રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોની જનસંખ્યા તથા આઉટગ્રોથ વિસ્તારની વસ્તીને ધ્યાનમાં રાખીને આ આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટેની રકમમાંથી પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ વગેરે આંતરમાળખાકીય સુવિધાના કામો હાથ ધરાશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે નાણા ફાળવણીની દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રજૂ કરવામાં આવી હતી.

રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 637.50 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં 2016-17થી અત્યાર સુધીમાં રાજ્યની મહાનગરપાલિકાઓ માટે રૂ. 549.92 કરોડ તેમજ નગરપાલિકાઓ માટે રૂ. 87.58 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.