Abtak Media Google News

ભાજપના છુપા આશિર્વાદની કેજરીવાલ સરકારે લીધેલા આ નિર્ણયથી ગેરકાયદેસર કોલોનીમાં રહેતા ૫૦ લાખ દિલ્હીવાસીઓને માલીકી હકક મળશે

ટુંક સમયમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીના પડધમ વાગનારા છે ત્યારે આપની અરવિંદ કેજરીવાલ સરકારે ગઈકાલે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં દિલ્હીનર ૧,૭૭૯ ગેરકાયદેસરા કોલોનીમાં રહેતા પરિવારોને ટુંક સમયમાં તેમની મિલ્કતોના માલીકીનો અધિકાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય હાઉસીંગ અને શહેરી બબતોનાં મંત્રાલય દ્વારા આ મુદે આયોજન ઘડી કાઢવા કેબીનેટમાં દરખાસ્ત મૂકી હતી તેના બે દિવસ બાદ કેજરીવાલ સરકારનો આ નિર્ણય ૫૦ લાખ મતદારોની વોટ બેંક અંકે કરવા લેવામાં આવ્યો હોવાનું મનાય રહ્યું છે.

શહેરી વિકાસ પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતુ કે, આ વસહતોના નિયમિતકરણ માટેની કટ ઓફ ડેટ ૧ જાન્યુઆરી ૨૦૧૫ છે જે માટે કેન્દ્ર અને દિલ્હી સરકાર પરસ્પર સંમત થયા છે. આ પગલાનું રાજકીય મહત્વ સ્પષ્ટ કારણ કે આ વસાહતોમા આશરે ૫૦ લાખ લોકો વસવાટ કરે છે આ આંકડો ૧૯૬૨માં ફકત બે લાખ હતો આજે આ વિશાળ વસ્તી એક મત બેંક છે. જેને તમામ રાજકીય પક્ષો અંકે કરવા માંગે છે. પત્રકારોને સંબાષધન કરતા કેજરીવાલે જણાવ્યું હતુ કે ગઈકાલે કેન્દ્ર સરકારે અમને ખૂબ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. તેઓ અમારી દરખાસ્તને સ્વીકારવા માટે તૈયાર છે. દિલ્હી, કેબીનેટ દ્વારા ૨ નવેમ્બર ૨૦૧૫ના રોજ ૧,૭૯૭ કોલોનીને નિયમિત બનાવવા દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી અને સરકારની ૧૨ નવેમ્બરના રોજ કેન્દ્રમાં મોકલવામાં આવી હતી.

આ વસાહતોના રહેવાસીઓને અભિનંદન આપતા કેજરીવાલે કહ્યું : તમે ટુંક સમયમાં તમારા મકાનોનાં માલીકો બનશો રજીસ્ટ્રેશન શરૂ કરવાની તૈયારી શરૂ થઈ છે. તેમણે દિલ્હીના લોકોની તરફેણ કરવા બદલ કેન્દ્રનો આભાર માન્યો હતો. સુત્રોએ જણાવ્યું હતુ કે સૈનિક ફાર્મ્સ, મહેન્દ્ર એન્કલેવ અને અનંત રામ ડેરીનો ત્રણ સમૃધ્ધ વસાહતોને સરકારના નિર્ણયનો લાભ મળશે નહી. વળી જંગલની જમીન, રીજ, યમુના પૂરભૂમિઅને એએસઆઈ સ્મારકોની આસપાસનાં પ્રતિબંધીત વિસ્તારની અંદર આવેલા કોલોનીમાં જમીનના અધિકારો આપવામા આવશે નહી. લેફટનન્ટ ગવર્નર અનિલ બૈજાલની અધ્યક્ષતા હેઠળની એક સમિતિએ આ વર્ષે જૂનમાં એક અહેવાલ રજૂ કર્યો હતો કે જેમાં માલીકીના અધિકારો મેળવવા માટે રહેવાસીઓને ફી ચૂકવવાની ભલામણ કરવામાં આવી હતી.

પેનલ દ્વારા પગલા લેવામાં આવ્યા હતા જે દિલ્હી સરકારના મહેસૂલ વિભાગ અને અન્ય એજન્સીઓને લેવાની જરૂર હતી કેન્દ્ર સરકાર ૭મી માર્ચે કેબીનેટનાં નિર્ણય દ્વારા સમિતિની સ્થાપના કરી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું હતુ કે અનધિકૃત વસાહતોમાં રહેતા લોકોનું લાંબા સમયનું સ્વપ્ન ટુંક સમયમાં પૂરૂ થશે. અત્યાર સુધી તમામ કેન્દ્રીય અને રાજય સરકારોએ તેમાં રહેતા લોકો સાથે દગો કર્યો હતો. દરેક ચૂંટણી પહેલા, તેઓ નિયમિતતા આપવાનું વચન આપ્યું હતુ પરંતુ વચનને પૂરૂ કર્યું નથી. અમે આ વચન પર કામ કરવાનું શરૂ કર્યું હતુ.

કેન્દ્રએ દરખાસ્ત પર કેટલાક ટેકનીકલ પ્રશ્ર્નો મોકલ્યા છે. કેજરીવાલે ઉમેર્યું હતુ કે મે તમામ વરિષ્ઠ અધિકારીઓને આગામી બે ત્રણ દિવસમાં કેન્દ્ર સરકારના સંતોષ માટે તાત્કાલીક જવાબો તૈયાર કરવાની સૂચના આપી છે.

મુખ્યમંત્રીએ મહેસુલ વિભાગને મોટા પાયે નોંધણીની સુવિધા માટે તૈયારીઓ શરૂ કરવાની સૂચના આપી છે જેના માટે કેમ્પ કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યું હતુ કે રહેવાસીઓને એક સામાન્ય રકમ ચૂકવવાનીરહેશે જે પ્લોટનાં વિસ્તારનાં આધારે વર્તુળ દરના ૧.૨% વચ્ચે હોઈ શકે છે. કેજરીવાલે જણાવ્યું હતુ કે, તેમની ગેરકાયદેસર સ્થિતિને લીધે આ વસાહતોને વિકાસના કામ અને મૂળભૂત સુવિધાઓ પણ મળતી ન હતી. ત્યાં કોઈ રસ્તાઓ, નદીઓ, ગટરો, પાણીની લાઈન વગેરે નહોતી અમારી સરકાર દિલ્હીમાં સત્તામાં આવી તે સાથે જ અમે આ વસાહતોમાં યુધ્ધના પગલા પર વિકાસ કાર્ય શરૂ કર્યું હતુ.

૨૦૧૯-૨૦ના બજેટમાં આ વસાહતોમાં વિકાસ કાર્ય હાથ ધરવા માટે આપ સરકારે રૂા.૧,૫૦૦ કરોડની જોગવાઈ કરી હતી. દિલ્હી સરકાર આ કોલોનીઓમાં પાણી અને ગટર પાઈપલાઈન મૂકવા માટે રૂા.૩૫૦૦ કરોડ અને રસ્તાઓ અને બાંધકામ માટે ૨૫૦૦ કરોડ રૂપીયા ખર્ચ કરી રહી છે. કૂલ મળીને આ કોલોનીઓમાં વિકાસના કામમાં અભૂતપૂર્વ રૂા.૬૦૦૦ કરોડનં રોકાણ કરવામાં આવ્યું છષ. તેમ કેરીવાલે ઉમેર્યું હતુ રસપ્રદ બાદએ છેકે, શીલા દિક્ષીતની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે ગેરકાયદે વસાહતોને મોટી વોટબેંકની અપેક્ષામાં નિયમિત કરી હતી અને ૨૦૦૮ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા ૧,૨૦૦ કોલોનીઓને અસથાયી નિયમિતકરણ સર્ટીફીકેટ પણ વિતરીત કર્યા હતા. પરંતુ તેમ છતા રાજયમાં કોંગ્રેસની સરકાર આવી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.