તાજેતરમાં ઝી ચેનલ દ્વારા જુદા જુદા ક્ષેત્રના નામાંકિત વ્યકિતઓને દ્વારા ગાંધીનગર ખાત ઝી યંગ એચીવર્સ એવોર્ડ ગુજરાતના રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ઝી ટીવીના ચેરમેન સુભાષચંદ્ર ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના શૈક્ષણિક વિકાસમાં જે મહાનુભાવોનું યોગદાન છે તેવા નામાંકિત વ્યકિતઓમાં મારવાડી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ કેતનભાઈ મારવાડીનો સમાવેશ થાય છે તે મારવાડી એજયુકેશન ફાઉન્ડેશન માટે ગર્વની બાબત છે. મારવાડી યુનિવર્સિટી તથા મારવાડી એજયુકેશનની અન્ય સંસ્થાઓ દ્વારા કેતનભાઈ મારવાડીને તેમના સન્માન બદલ અભિનંદન આપ્યા છે.કેતનભાઈ મારવાડીને તેમના શૈક્ષણિક ક્ષેત્રમાં યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કેતનભાઈ મારવાડી તથા જીતુભાઈ ચંદારાણા દ્વારા મારવાડી એજયુકેશન ફાઉન્ડેશનની સ્થાપના ૨૦૦૯માં કરવામાં આવી અને આજે ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રમાં ઝડપથી વિકસતી યુનિવર્સિટી તરીકે મારવાડી યુનિવર્સિટીનું નામ સૌથી મોખરાનું છે. આ સન્માન બદલ મારવાડી યુનિવર્સિટીના કો-ફાઉન્ડર અને વાઈસ પ્રેસિડેન્ટ જીતુભાઈ ચંદારાણા તથા અનય ટ્રસ્ટીઓ, મારવાડી યુનિવર્સિટીના ડાયરેકટર, ડીન, રજીસ્ટ્રાર તેમજ અન્ય શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે