Abtak Media Google News

અબતક, રાજકોટ

ગોંડલના ગુંદાળા દરવાજા પાસે દારૂ વેંચતા હોવાની પોલીસને બાતમી આપ્યાનો ખાર રાખી બુટલેગર સહિત ચાર શખ્સોએ બે-મિત્રો ઉપર છરી વડે હુમલો કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ મોટી બજાર બાવાબાટી શેરીમાં રહેતા અર્જુન મહેન્દ્રભાઇ ચૌહાણએ હુસેન ઉર્ફે ભોલીયો દીલાવર મકરાણી, ઇમરાન હસન કટારીયા અને બે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ઇમરાન કટારીયા વિરૂધ્ધ વિદેશી દારૂનો કેસ થયેલો હોય જેની બાતમી અર્જુન ચૌહાણે આપ્યા હોવાનો ખાર રાખી ઇમરાન કટારીયાએ તેના ત્રણ મિત્રોની મદદથી અર્જુન ચૌહાણને છરી વડે હુમલો કરતા તેને બચાવવા વચ્ચે પડેલા મોહિત અશ્ર્વિન સોલંકી છરી ઝીંકી દીધી હતી તેમજ ઝપાઝપી દરમિયાન અર્જુનનો સોનાનો ચેન પડી ગયાની ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ચારેય શખ્સો સામે કલમ 326 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. બી.એલ. ઝાલા સહિતના સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.