Abtak Media Google News
  • ડિજિટલ માધ્યમથી વાહન અને મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાશે
  • લોકોને સિટીઝન ફર્સ્ટ એપ ડાઉન લોડ કરવા હોર્ડિગ્સ ઘરે ઘરે પેમ્લેટસનું વિતરણ કરાયું

વાહન ચોરી, મોબાઇલ ચોરી અને લેપટોપ ચોરી જેવી સામાન્ય અને શુલ્ક ચોરીઓને લકો નજર અંદાજ કરતા હોય છે. અથવા પોલીસ મથકે નજીવી કિંમતની વસ્તુની ફરિયાદ નોંધવામાં આવતી નથી ત્યારે ડિઝીટલ યુગમાં પોલીસ પણ આધૂનિક બની છે. આધૂનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોના વાહન અને મોબાઇલ ચોરીના બનાવની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવા ન જવુ પડે તે માટે સિટીઝન ફર્સ્ટ એપ લોંચ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવી છે.

1D502Ff6Db794698Ac5Bfd06F6F9A114

ઇ-એફઆઇઆરની વિસ્તૃત માહિતી લોકો સુધી પહોચાડવાની પોલીસની ઝુંબેશ અંતર્ગત નઅબતકથ મિડીયા હાઉસની મુલાકાતે આવેલા ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી.વી.બસીયા અને પી.આઇ. વાય.બી.જાડેજાને પોલીસની લોક ઉપયોગી ઝુંબેશને વેગવંતિ બનાવવા નઅબતકથ મિડાયા હાઉસ દ્વારા પુરતો સહયોગ આપવામાં આવશે તેવી મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાએ ખાતરી આપી છે.

સિટીઝન ફર્સ્ટ એપ્લીકેશનનો વધુને વધુ પ્રચાર થાય અને લોકો તેનો વધુ ઉપયોગ કરી શકે તેમજ સામાન્ય કિંમતની વસ્તુની ચોરી બાબતે લોકો જાગૃત થાય તે માટે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે 20 જેટલા સ્થળે હોર્ડિગ્સ મુકવામાં આવશે તેમજ ઘરે ઘરે પેમ્લેટનું વિતરણ કરવામાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

વાહન ચોરી, લેપટોપ ચોરી અને મોબાઇલ ચોરીની પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવતી ન હોવાની ઉઠેલી ફરિયાદનો નિકાલ કરવા માટે ખાસ પ્રકાસની માહિતી સાથેની એપ્લીકેશન લોંચ કરવામાં આવી છે જેના કારણે લોકો પોતાના વાહન, લેપટોપ અને મોબાઇલ ચોરીની ફરિયાદ એપના માધ્યમથી નોંધાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

લોક ઉપયોગી ઝુંબેશને વેગવંતિ બનાવવા ‘અબતક’ મીડિયા સહભાગી બની રહેશે તેવી મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાએ ક્રાઇમ બ્રાન્ચના એસીપી બસીયા અને પી.આઇ. જાડેજાને આપી ખાતરી

વાહન, લેપટોપ અને મોબાઇલ ચોરી કયાંથી થઇ અને તેના જરૂરી ડોક્યુમેટ અપલોડ કરવામાં આવે ત્યારે પોલીસ સૌ પ્રથમ ફરિયાદ સાચી છે કે ખોટી તે અંગેની માહિતીની ઇ-ગુજકોપ એપ્લીકેસનની મદદથી તપાસ કરવામાં આવશે ત્યાર બાદ ફરિયાદની તપાસ કોણ કરી રહ્યું છે તે અંગેની માહિતી 48 કલાકમાં જ ઇ ફરિયાદ કરનારને મળી જશે ફરિયાદનો નિકાલ પણ માત્ર 21 દિવસમાં જ કરવામાં આવશે જેના કારણે લોકોને પોલીસ મથકે ફરિયાદ ન લેતા હોવાની ફરિયાદના નિકાલની સાથે પોલીસ મથકે ધક્કો ખાવાની જરૂર નહી રહે તેમ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જણાવવામાં આવ્યું છે.

સિટીઝન પોર્ટલ એપ્લીકેશન અંગે જાગૃતિ માટે અભિયાન શરૂ કરવામાં આવેશે આ એપ તમામે ડાઉન્ડ લોડ કરવી જરૂરી હોવાનું કહી શહેરના જુદા જુદા 20 જેટલા સ્થળે હોર્ડિગ્સ લગાવવામાં આવશે અને ઘરે ઘરે પત્રીકાનું વિતરણ કરવામાં આવશ તેમ જણાવ્યું હતું.

પોલીસ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી લોકોને થતી મુશ્કેલી નિવારી શકાય તેમ હોવાનું કહી એપ ઉપયોગીતા અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું છે.

72 કલાકમાં જ ઇ ફરિયાદ અંગેના નિકાલ થવો જોઇએ નહી તો ઇ ફરિયાદ પેન્ડીગ અંગેનો એસએમએસ ચોથા દિવસે ડીસીપી અને એસીપીને જશે ત્યાર બાદ 24 કલાકમાં કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે તો પાંચમાં દિવસે ડીસીપીને એસએમએસથી જાણ કરી 120 કલાકમાં આખરી નિર્ણય લેવામાં આવશે તેમજ કોઇ પોતાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવા ઇચ્છે તો ત્યાં પણ ફરિયાદ નોંધાવી શકશે તેમ જણાવ્યું હતું.

ચોરીનું સ્થળ અંગે પોલીસ મથકની હદ અંગે માહિતી ઇ ફરિયાદ નોંધાવનારને ન હોય ત્યારે સંબંધીત પોલીસ મથકે ટ્રાન્સફર કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.