Abtak Media Google News

ભારતભરના લગ્નોત્સુક રઘુવંશી યુવક-યુવતીઓ જોડાઈ શકશે: રાજકોટમાં ત્રણ સ્થળોએથી ફોર્મ મેળવી શકાશે

રઘુવંશીઓની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદ પ્રેરીત લોહાણા સમાજ નવી મુંબઈ દ્વારા ૧ મેના રોજ જીવનસાથી પાત્ર પસંદગી પરિચય મિલન મેળાવડો યોજાશે. ફોર્મ રાજકોટ ખાતે પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જેની વિસ્તૃત વિગત આપવા રઘુવંશી અગ્રણીઓ રમેશભાઈ ઠકકર, મનુભાઈ મીરાણી અને ભુપેન્દ્રભાઈ ઉનડકટે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Advertisement

લોહાણા સમાજ નવી મુંબઈ દ્વારા ૧ મેના રોજ લગ્ન ઈચ્છુક રઘુવંશીઓ માટે જીવનસાથી પાત્ર પસંદગી પરિચય મિલન મેળાવડો યોજાશે. જેમાં ૧૯૭૧ પછી જન્મેલા ઉમેદવારો ભાગ લઈ શકશે. ભારતભરનાં લોહાણા પરિવારોના સંતાનો આ મેળાવડામાં જોડાઈ શકશે. ૧૦ એપ્રિલ સુધી ફોર્મ પરત સ્વીકારવામાં આવશે. આ ફોર્મ રાજકોટ ખાતે પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

સમગ્ર આયોજન અંગે લોહાણા સમાજ નવી મુંબઈના ટ્રસ્ટી હિંમત સોમૈયા મો.૦૯૮૯૨૧ ૮૯૬૬૬, ધર્મેન્દ્રભાઈ કારીયા મો.૦૯૩૨૨૨ ૬૧૯૩૦, પ્રમુખ સંજયભાઈ પલણ મો.૦૯૮૨૧૧ ૫૬૮૭૭ પાસેથી મેળવી શકાશે.  મિલનને દિવસે ઉમેદવાર તથા તેમના એક વડિલને ચા, કોફી, અલ્પાહાર તથા બપોરના ભોજન પાસે તેમજ પરિચય મિલન ડિરેકટરી આપવામાં આવશે. રાજકોટમાં ફોર્મ મેળવવા માટે મનુભાઈ વિરાણી મો.૯૪૨૮૪ ૬૬૬૬૩, એસ. કુમાર એન્ડ કાૃં મો.૯૮૭૯૩ ૯૭૩૦૪, જગુભાઈ ‚પારેલીયા મો. ૯૪૨૮૩ ૪૯૫૦૧નો સંપર્ક સાધવાનો રહેશે. વધુ વિગત માટે  www.lohana samaj navimumbai. org ઉપરથી મેળવી શકાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.