Abtak Media Google News

લાલપુર તાલુકાના ચારણતુંગા ગામના આલાભાઈ હમીરભાઈ જોગલ (ઉ.વ.૩૬) નામના આહિર યુવાન થોડા દિવસોથી પથરીની બીમારીથી પીડાતા હતા. તે દરમ્યાન મંગળવારે સાંજ પછી આલાભાઈ જોવા મળ્યા ન હતા જેની તેમના પરિવાર દ્વારા શોધ કરવામાં આવી રહી હતી

ત્યારે લાલપુરના જશાપરથી ખંભાળિયા તરફ જવાના કાચા માર્ગ પર આવેલી સાજણભાઈ ભરવાડની વાડી પાસેના બાવળના એક ઝાડમાં આલાભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા કોઈએ તેમના નાનાભાઈ પાલા હમીરભાઈ જોગલને જાણ કરી હતી.

પાલાભાઈએ લાલપુર પોલીસને વાકેફ કરતા એએસઆઈ જે.આર. જાડેજા દોડી આવ્યા હતા. તેઓએ મૃતદેહનો કબજો સંભાળ્યો છે. પાલાભાઈએ નિવેદનમાં જણાવ્યા મુજબ મૃતક આલાભાઈએ પોતાની જાતે દોરડા વડે ડાળીમાં ગાળિયો પરોવી આત્મહત્યા કરીછે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.