Abtak Media Google News

‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ સુંદર બનાવવા માટે શહેરભરમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં  આવે છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં રણજીતસાગર રોડ પર સફાઇ અભિયાન હાથ ધરાયું હતું.

Advertisement

કેનાલમાં ઉકરડા જેવી સ્થીતી અંગે ‘અબતક’માં સ્થિતિ અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યું

તે જ સ્થળેથી પસાર થતી અને દરેડથી જામનગરના લાખોટા પળાવમાં આવતી પાણીની નહેરમાં દારૂની બોટલ પ્લાસ્ટિક સહિતના કચરાના ઢગલા જોવા મળતા સફાઇ અભિયાન નિરર્થક નીવડેલું તેવા સમાચાર ‘અબતક’ સાંઘ્ય દૈનિકમાં  આવેલ તે સમાચારથી 13 ડિસેમ્બરે પ્રકાશીત થયા હતા તેના પડઘા રૂપ તંત્ર સફાળે જાગીને તાત્કાલીક ધોરણે લાખોટા તળાવમાં આવતી પાણીની નહેરમાં દારૂની બોટલ પ્લાસ્ટિક સહિતના કચરાની ઢગલાની સફાઇ કરવામાં આવી હતી.

જામનગર મહાપાલિકા દ્વારા તાજેતરમાં આ વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ  ધરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.