Abtak Media Google News

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં  આશરે પાંચેક વર્ષ પહેલા ટેન્કરમાંથી પાણી ભરવા બાબતે બોલાચાલી થઇ હતી જેનું મનદુ:ખનો ખાર રાખી ગઇ રાત્રે  પીએસઆઇના ભાઇની ઘાતકી હત્યાના બનાવથી નાના આવે ગામમાં સોપો પડી ગયો હતો,  બનાવ અંગે આરોપી પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ સામે મોડી રાત્રીના ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

પાંચ વર્ષ પૂર્વે ટેન્કરમાં પાણી ભરવા મુદ્ે થયેલી બોલાચાલીનો કરૂણ અંજામ: છારીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

પોલીસે ત્રણ સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી

લાલપુર તાલુકાના ભણગોર ગામે રહેતા વિરેન્દ્રસિંહ છોટુભા જાડેજા (ઉ.વ.27) નામના યુવાન સાથે  5 વર્ષ અગાઉ આરોપી રાજદીપસિંહ સાથે  ટેન્કરમાંથી પાણી ભરવા બાબતે બોલાચાલી થઇ હતી જેનું મનદુ:ખ ચાલતુ હતું.દરમ્યાન ગત રાત્રીના ભણગોર ગામમાં આવેલ ગ્રીન પાન નામની દુકાન પાસે આરોપીઓએ  ખાર રાખી ઉશ્કેરાઇ જઇ આરોપી રાજદીપસિંહે છરી વડે જીવલેણ હુમલો કરી વિરેન્દ્રસિંહને ગળાની પાછળના ભાગે ઘા ઝીંકી દેતા યુવાન લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો.

ગામમાં ક્ષત્રીય યુવાનની હત્યાની ધટના બહાર આવતા લાલપુર પોલીસની ટીમ સ્થળ પર અને હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી,  આ બનાવથી નાના એવા ગામમાં ચકચાર મચાવી છે. વધુમાં સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ મરનાર વિરેન્દ્રસિંહના ભાઇ મનોહરસિંહ અમદાવાદ ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે, જયારે ત્રણ આરોપી પૈકી  આરોપી રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ છે. હાલ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે.છે.

આ બનાવ અંગે  મૃતકના કુટુંબી ભાઇ પ્રધુમનસિંહ લાલુભા જાડેજાએ મોડી રાત્રીના લાલપુર પોલીસ સ્ટેશનમાં ભણગોર ગામના રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુ જગદીશસિંહ જાડેજા, જગદીશસિંહ બહાદુરસિંહ જાડેજા અને કુંદનસિંહ રામભા જાડેજા આ ત્રણેયની વિરુધ્ધ આઇપીસી કલમ 302 મુજબ  ફરીયાદ નોંધાવતા આ અંગેની તપાસ ઇન્ચાર્જ પીએસઆઇ બી.બી. કોડીયાતર અને સ્ટાફ દ્રારા ચલાવવામાં આવી રહી છે.

ફરીયાદના આધારે પોલીસ દ્રારા આરોપીઓને ઝડપી લેવા જુદી જુદી ટુકડીઓ દોડતી કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.