Abtak Media Google News

ગુજરાત ના લોકલાડીલા અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના આજે ૬૩ માં જન્મ દિવસ નિમિત્તે માણાવદર ભાજપ દ્વારા માણાવદર ની સરકારી હોસ્પિટલ ફુટ નુ વિતરણ કરવામાં આવ્યું હતુ અને રૂપાણી ના દીર્ધાયુષ્ય માટે ગુજરાત ના સર્વાંગી વિકાસ માટે ભાજપના કાર્યકતાઑએ મંદિરોમાં પ્રાર્થના – પુજા – અર્ચના કરી હતી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો જીવનમંત્ર જીવદયા અને રાષ્ટ્રવાદ નો રહેલો છે અને લોકોમાં રાષ્ટ્ર વાદ જન્મે તેવા પ્રયાસો થી આજે ગુજરાત માં પ્રત્યેક નાગરીક સરકાર સાથે સહકારની ભાવનાથી ગુજરાત ના વિકાસમાં લોકો ની ભાગીદારી થી ગુજરાત નો સર્વશ્રેષ્ઠ સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહયું છે.માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના જન્મ દિવસ નિમિત્તે માણાવદર ના વિવિધ મંદિરો માં પુજા- અર્ચના – પ્રાર્થના અને સેવાદિન તરીકે ઉજવણી માં માણાવદર શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઇ આરદેશણા , માણાવદર શહેર યુવા ભાજપ પ્રમુખ ધર્મેશ ધ્રાંગા , શહેર મહામંત્રી નિરજ જોષી ,  સંદિપ મારડીયા , તાલુકા ભાજપ પ્રમુખ  હરસુખભાઇ ગરાળા,  તાલુકા યુવા ભાજપ પ્રમુખ જયદિપ હુંબલ,   આર.એચ.પટેલ માણાવદર શહેર યુવા મહામંત્રી , જાણીતા ધારાશાસ્ત્રી વી.જે. મહેતા, પુષ્પાબેન ગોર જિલ્લા ભાજપ મંત્રી , હરીભાઇ ભુત તથા તમામ આગેવાનો અને કાર્યકરો બોહળી સંખ્યા માં હાજર રહયા હતા

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.