Abtak Media Google News
  • લાંછનરૂપ બે ઘટનાથી હડકંપ
  • પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવી

 

માંગરોળ પોલીસ સ્ટેશનમાં સમાજને લાંછનરૂપ બે ફરિયાદો નોંધાય છે. જુદી જુદીબે  ઘટનામાં બે સગીરાઓ પર દુષ્કર્મ આચરાયા હોવાની ફરિયાદ સામે આવતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી તો હાથ ધરવામાં આવી છે. તો બીજી બાજુ આ જઘન્ય કૃત્ય આચરનાર આરોપીઓ સામે સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે.

માંગરોળના હેમાંગ નરસાણા નામના શખ્સે માંગરોળ પંથકની  સગીર વયની દીકરીને ગૃહ ઉદ્યોગમા રજીસ્ટ્રેશન કરવાના બહાને પોતાના ઘરે બોલાવી, સગીરાને માર મારી, દુષ્કર્મ આચરી, કોઇને આ બાબતની જાણ કરીશ તો સમાજમા વાતો કરી બદનામ કરી દઇશ તેવુ કહી સગીરાને તથા તેના માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી, બીજા દીવસે ફરીથી સગીરાને વોટ્સએપમા મેસેજ કરી તેના ઘરે બોલાવી સગીરા સાથે બળજબરી કરી, દુષ્કર્મ આચર્યું હોવાની પીડિત સગીરાએ હેમાંગ નરસાણા સામે માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગત તા. 14 અને 15 ફેબ્રુઆરીના રોજ  હેમાંગ નરસાણાના માંડવી ગેટ પાસેની ધૃણાસ્પદ ઘટના અંગે સાડા ત્રણ માસ બાદ સગીરા દ્વારા ફરિયાદ થતા માંગરોળ પી.એસ.આઈ. એસ.એ. સોલંકી એ તપાસ આદરી છે.

જ્યારે અન્ય એક નરાધમ શખ્સના જઘન્ય કૃત્યથી માથું ઝૂકી જાય તેવી બીજી રાવ પણ માંગરોળ પોલીસમાં નોંધાઇ છે. જે ફરિયાદમાં હાલ ગડુ ખાતે રહેતા અને માળીયા હાટીના તાલુકાના દુધાળા ગામનો વતની એવો નરાધમ શખ્સ દિવ્યેશ ઉર્ફે ભુરો હીરાભાઇ ચુડાસમા માંગરોળ પંથકની એક 15 વર્ષ અને 4 માસ આયું ધરાવતી સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડીને અપહરણ કરી લઈ જઈ, ભોગ બનાનાર સાથે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હોવાની અને સગીરાને ભગાડવામાં ગડુના માનસિંહ રાયસીંગભાઇ પરમાર એ મદદગારી કરી હોવાની સગીરાની માતાએ ફરિયાદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.