Abtak Media Google News

ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર રખડતાં ઢોરનો આતંક સતત વધી જ રહ્યો છે ક્યારેક કોઈ ચાલતું જતું વ્યક્તિ તો ક્યારેક કોઈ શ્રમિકની લારી કે પછી સ્કૂલ રિક્ષાને જતા અથવા ટુ વ્હિલર ઉપર જતા લોકો પણ રખડતાં ઢોર અડફેટે લેતા હોય છે, ત્યારે માંગરોળમાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં રખડતા ઢોરની અડફેટે લેતા પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

https://www.instagram.com/reel/CsXvHIQoYQT/?utm_source=ig_web_copy_link&igshid=MmJiY2I4NDBkZg==

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના ગુલાબીનગર જંકશન રોડ પરની છે જ્યાં ગઈ કાલે સવારના સમયે આખ્લાનો આતંક સામે આવ્યો હતો. અચાનક જ ખુટીયાઓનું ટોળું ધસી આવતા પાંચથી છ લોકોને હડફટે લીધાં હતા. આખલાના આતંકને લીધે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આખલાએ ૫થી વધુ લોકોને અડફેટે લેતા ઈજાગ્રસ્તોને માંગરોળ સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

 ગાંધીધામમાં રખડતા ઢોરે અડફેટે લેતા વૃદ્ધે જીવ ગુમાવ્યો

૧૬ મેના રોજ ગાંધીધામમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો હતો જેમાં સુંદરપુરીનાં તલાવડી ચોકમાં સવારના અરસામાં જામાભાઈ વાઘાભાઈ વણકર  (ઉ.વ ૭૨) સુંદરપુરીના તલાવડી ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રખડતા ઢોરે વૃદ્ધને હડફેટે લેતા તે ગંભીર રીતે ઘવાયા હતા.  તેમને સારવાર માટે રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.