Abtak Media Google News

લગ્નોત્સવમાં જોડાયેલ રિવાજોનું ધાર્મિક મહત્વ

 

લગ્નગીતો, ફટાણા, જાન, વરઘોડો, છેડાછેડી, મીંઢોળ જેવી વિવિધ વિધીથી આપણાં લગ્નોત્સવ આજનો આનંદોત્સવ છે: હિન્દુધર્મની લગ્ન પરંપરા જેવી પધ્ધતિ-રીત વિશ્ર્વમાં એકપણ ધર્મમાં નથી: લગ્નને વિવાહ, પરિણય કે પાણિગ્રહણ પણ કહેવાય છે

ત્રેતાયુગમાં રામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન જે પરંપરા અને મંત્રોચ્ચારથી થયા હતા તેજ પ્રમાણે આજના યુગલો લગ્નના બંધને બંધાય છે

“નાણાવટી સાજન બેઠું માંડવે રે” જેવા લગ્નગીતોને ફટાણા સાથે વરઘોડા-જાન જેવી વિવિધ વિધીથી આપણા લગ્નોત્સવ આજે આનંદોત્સવ સાથે ઉજવીએ છીએ. લગ્ન એટલે માત્ર બંધન નહીં પણ જન્મ જન્માંતર સુધી એકમેકને સાથ આપવાનું વચન છે. બે આત્માનું મિલન એટલે લગ્ન. હિન્દુ પરંપરામાં લગ્ન તથા તેની વિવિધ ધાર્મિક વિધીનું ખૂબ જ મહત્વ છે. આપણી આ પધ્ધતિ જેવી વિશ્ર્વનાં એક પણ ધર્મમાં જોવા મળતી. આપણી ફિલ્મોમાં પણ આદીકાળથી આ વિષય આધારિત વાત-ગીતો જોવા મળે છે. આપણે ત્યાં વેવિશાળ કે સગાઇથી લગ્ન વચ્ચે પ્રથમવાર કંકુ પગલાથી શરૂ કરીને જાનને સ્વાગત સાથે વરરાજાને પોંખવાની વિધી છે.

એક ચોક્કસ પધ્ધતિથી તમામ વિધી સંપન્ન કરીને શુભ મુહુર્તમાં જ વિદાય જેવી પધ્ધતિ છે. આજના ઝડપી યુગમાં પણ આટલી વિધી તો કરીએ જ છીએ. આજે પણ લગ્નની પરંપરા તૂટી નથી. દરેક વિધી પાછળ વૈજ્ઞાનિક આધારો રહેલ છે જેમ કે ‘વરઘોડો’ ઇન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું પ્રથમ ચરણ છે. આવી રીતે થતી લગ્નની તમામ વિધીઓ અર્થ પૂર્ણ છે. આપણાં જીવનનાં 16 સંસ્કારોમાં 12મો લગ્ન સંસ્કાર છે. લગ્ન સંસ્કારથી બ્રહ્મચર્યાશ્રમમાં રહેલ વ્યક્તિ ગૃહાસ્થાશ્રમમાં પ્રવેશે છે. હિન્દુ ધર્મમાં ગૃહસ્થાશ્રમને બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમનો પોષક કહ્યો છે. વિશ્ર્વમાં લગભગ તમામ ધર્મો કે જાતિના લોકોમાં કોઇને કોઇ લગ્ન સંસ્કારની પ્રથા છે. લગ્નને વિવાહ, પાણિગ્રહણ કે પરિણય જેવા શબ્દો પણ પ્રચલિત છે.

ભારતીય સંસ્કૃતિ અનુસાર વિવાહએ એક ધાર્મિક વિધી છે. જેમાં બે પરિવારો, કુટુંબના સ્ત્રી અને પુરૂષ પ્રેમનાં તાંતણે બંધાય છે. વિવાહને એક સામાજીક સંસ્થા તરીકે ઓળખાય છે. આપણા વાર્ષિક કેલેન્ડરમાં પણ અમુક ચોક્કસ મહિના જ તેની સિઝન હોય છે. ઋણમાંથી મુક્તિ મેળવવા પણ વિવાહ કરવા આવશ્યક છે. હિન્દુ ધર્મમાં વિવાહને પવિત્ર સંસ્કાર ગણ્યો છે. આપણા શાસ્ત્રોમાં વિવાહના આઠ પ્રકારોમાં બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુરી, ગાર્ધવ, રાક્ષસી અને પિશાચી વિવાહ આ પૈકી પ્રથમ ચારને ઉત્તમ અને છેલ્લા ચાર અધર્મ ગણાય છે.

આપણા લગ્નમાં મંડપરોપણ, વરરાજાને પોંખવાનું જાન, પીઠીવાના, વરમાળા, હસ્તમેળાપ, મંગળ ફેરા અને ક્ધયા વિદાય જેવી વિવિધ રીત-રસમો છે જે આદીકાળથી ચાલતી પરંપરા છે. ભગવાન રામ અને કૃષ્ણે જે રીતે લગ્ન કર્યા તેજ રીતી-રીવાજોથી આજે પણ આપણે લગ્ન પ્રસંગ ધાર્મિક મહત્વ સાથે કરીએ છીએ. દરેક વિધી પાછળ એક ચોક્કસ વૈજ્ઞાનિક આધારો છે. જવતલ હોમવા કે છેલ્લે કોડા-કોડીની રમતમાં પણ ગુઢ અર્થ રહેલો છે. આજે તો લગ્ન પ્રસંગે “આજ મેરે યાર કી શાદી હૈ” જેવા ગીત સાથે ક્ધયા વિદાય વખતે ‘બાબુલ કી દુવાએ લેતી જા’ અચુક સાંભળવા મળે છે. અગાઉના લગ્નોમાં ત્રણ-ચાર દિવસનો જલ્સો હોયને જાન પણ બે દિવસ રોકાતી પણ સમય જતાં બધુ બદલાઇ ગયુંને આજે તો સવારથી બપોરમાં વિવાહ સંપન્ન થઇ જાય છે. આ બધા વચ્ચે લગ્નવિધીમાં બહુ મોટો ફેરફાર જોવા મળતો નથી. આર્યસમાજ કે કોર્ટમેરેજ આવ્યા પણ આનંદોત્સવ તો લગ્નની ધામધૂમમાં જ છે. વરઘોડાને દાંડીયા-રાસમાં બદલાતા યુગે ઘણા ફેરફારો સાથે વિધીઓમાં ચાર ચાંદ લાગી ગયા છે.

– છાબનું મહત્વ : વરપક્ષ તરફથી મળતો એક ઉપહાર છે. જેને જોણું પણ કહેવાય છે. આ છાબમાં સાત સાડી કે વસ્ત્રો અપાય છે. જેનો સ્ત્રીના જીવનમાં આવતા મુખ્ય સાત પ્રસંગોને આવરી લેવાયા છે. આમાં જોણાની ચૂંદડી, ફાગણીયું, દિવાળી, વડસાવિત્રી જેવા પ્રસંગો આવે છે.

– વરરાજાને પોખણા : વરરાજા જ્યારે જાન લઇને આવે ત્યારે ક્ધયાની માતા વરને પોંખે છે. જેમાં લાકડાની ચાર દાંડીમાં ઘોસરૂ, સાંબેલું, રવાઇ અને ત્રાગ હોય છે.

– ચાક વધાવવાનું મહત્વ : ઘરમાં લગ્ન હોય ત્યારે વિવાહના દિવસે સવારે માણેક સ્તંભ ઘડો લાવવા આભાર સાથે કંકુ-ચોખાથી વધાવીએ છીએ.

– મીંઢોળ : સંસ્કૃત ભાષામાં મદનફળને મિંઢોળ કહેવાય છે. લગ્ન સમયે વર ક્ધયાને હાથે માણેક સ્તંભે બંધાય છે. આ મિંઢોળ હાથની નાળી પર બાંધતા છીદ્રો દ્વારા જેવી પદાર્થને દૂર કરે છે. હસ્ત મેળાપ વખતે વર-ક્ધયાના શરીરમાં ઉત્તેજનાના આવે તે માટે પણ તે હાથે બંધાય છે.

– લીલા તોરણ બાંધવા : આસોપાલવ કે આંબાના લીલાપાનનું તોરણ મુખ્ય દરવાજે બંધાય છે. કોઇપણ વિઘ્ન વિના લગ્ન સંપન્ન થાય તેવી ભાવના સાથે અને વર અથવા ક્ધયાનું લિલા તોરણે સ્વાગતનું મહત્વ છે.

– પીઠીનું મહત્વ : જુના જમાનામાં કોસ્મેટીક વસ્તુ કે બ્યૂટી પાર્લર ન હતા તેથી એ જમાનામાં દુર્વા ઘાસ અને હળદરનો લેપ કરીને શરીરે લગાવવાની રસમ છે. હળદર ત્વચાને સુંદર રાખે છે.

– મહેંદી રસમ : મહેંદીની ઠંડકને કારણે લગ્નનો તણાવ ઓછો થાય અને સ્ત્રીના જીવનના ઘણા રંગોમાનો એક રંગ ખાસ હોય છે. હાથની મર્હેદીને શુભ માનવામાં આવે છે. સ્ત્રીના જીવનમાં મહેંદી એની સુંદરતાનો એક અહમ ભાગ છે.

– છેડાછેડી : આ રિવાજમાં બેનનું મહત્વ છે. ચોખા-સોપારી અને ચાંદીનો સિક્કો ક્ધયાના પાનેતર ઉપર મુકેલા ખેસ સાથે ભાઇ-ભાભીના જીવનમાં હમેંશા સ્મીત-ખુશી રહે તેવા પ્રેમભાવથી બેન મજબૂત ગાંઠ બાંધે છે.

– પગના ભારથી સંપૂટ તોડવું : ક્ધયાની માતા વરને પોંખી લીધા બાદ બે કોડિયાના સંપૂટને પગ તળે ભાંગીને વર માયરામાં પ્રવેશ કરે છે. આનો હેતુ એવો છે કે આજ સુધી મારા એકના અરમાનો હતા જે ભૂક્કો કરીને હવે આજથી આપણા બંનેના અરમારો, ખુશી, આશા, ઇચ્છા એક જ હશે. આપણા બન્નેની જીવન યાત્રા શરૂ થાય છે.- જઉં-તલ હોમવાનું મહત્વ : પિતા પછી દિકરીની બધી ઉમ્મીદ તેના ભાઇ સાથે હોય છે. એટલે જ ભાઇ હર મંગળફેરામાં બેનને વચન આપે છે કે તારા ઘરમાં ગમે તે જરૂર પડે તો હું તારી સાથે છું આમ જવ-તલ એક અનાજનું પ્રતિક છે. જે ભાઇ-બહેનને આપે છે.

– મંગળ ફેરા : પહેલા મંગળફેરામાં કંકુનું દાન દેવાય છે. જે સુહાગનું પ્રતિક છે. બીજા ફેરામાં ચાંદીનું દાન દેવાય છે. જે શુધ્ધતાનું પ્રતિક છે. ત્રીજા મંગળફેરામાં સોનાનું દાન જે શુધ્ધતાનું પ્રતિક છે. ચોથા ફેરામાં ક્ધયાનું દાન દેવાય છે. જે સર્વદાનોમાં શ્રેષ્ઠ કહેવાય છે. સ્ત્રીના જીવનમાં મંગળસૂત્રનું પણ વિશેષ મહત્વ આપણાં શાસ્ત્રોમાં દર્શાવાયું છે. આપણી ફિલ્મોમાં તેના મહત્વની વાત કે દ્રશ્યો સાથે તેની ઘણી મહત્તા વધારી છે.

ઋણમાંથી મુક્તિ મેળવવા પણ વિવાહ કરવા આવશ્યક

આજના ઝડપી યુગમાં પણ બધી વિધી લગ્નોત્સવમાં આપણે કરીએ છીએ. વિશ્ર્વનાં લગભગ તમામ ધર્મો કે જાતિના લોકોમાં કોઇને કોઇ લગ્ન સંસ્કારની પ્રથા છે ત્યારે ભારતીય સંસ્કૃતિ મુજબ ઋણમાંથી મુક્તિ મેળવવા પણ વિવાહ કરવા આવશ્યક છે. હિન્દુ ધર્મમાં વિવિધ સોળ સંસ્કારોમાંનો એક વિવાહને પવિત્ર સંસ્કાર ગણ્યો છે. આપણાં શાસ્ત્રોમાં વિવાહના આઠ સંસ્કારો પૈકી બ્રાહ્મ, આર્ષ, પ્રાજાપત્ય અને દૈવ વિવાહનો ઉત્તમ અને આસુરી, ગાર્ધવ, રાક્ષસી અને પિશાચી વિવાહને અધર્મ ગણાયા છે. આપણાં લગ્નની દરેક વિધી પાછળ એક ચોક્કસ વૈજ્ઞાનિક આધારો છે. અગાઉ જાન બે કે ત્રણ દિવસ રોકાતી આજે તો સવારથી બપોરમાં વિવાહ સંપન્ન થાય છે. વર્ષોથી ચાલી આવતી લગ્ન પરંપરામાં બહુ મોટો ફેરફાર જોવા મળતો નથી. આર્ય સમાજ કે કોર્ટ મેરેજ આવ્યા પણ સાચી લગ્નની મઝા તો લગ્નોત્સવમાં આંગણાના આનંદ ઉત્સવમાં જ છે.

દુનિયામાં લગ્ન સાથે જોડાયેલા વિચિત્ર રિવાજ

દુનિયામાં વિવિધ દેશોમાં લગ્ન સાથે ચિત્ર-વિચિત્ર રિવાજ પણ જોડાયેલા છે. કાંગો સમાજમાં લગ્ન દરમ્યાન વર-વધુને હસવાની મનાઇ છે. સ્કોટ સમાજમાં દુલ્હા-દુલ્હન પર કાળો રંગ નાખવામાં આવે છે. ફ્રાન્સની સંસ્કૃતિમાં લગ્નનો સાવ અજબ જ રિવાજ છે, જેમાં ટોઇલેટમાં બનાવેલું જ્યુસ દુલ્હનના પરિવારજનોએ પીવું પડે છે. મસાઇ સંસ્કૃતિમાં વિશ્ર્વની સાવ નોખી રીતમાં દુલ્હનનું અપમાન કરાય છે, સ્વાગતમાં જ અપમાન કરીને માથે ગોબર લગાવાય છે. વિશ્ર્વના પ્રાચિન સ્પોર્ટેન્સમાં દુલ્હનને માથે મુંડન કરવાનો રિવાજ છે. કિર્ગિસ્તાનમાં આજે પણ દુલ્હનની અપહરણની પરંપરા ચાલુ છે જો કે આ રસમ લગ્ન પહેલા કરાય છે. ચાઇનાની સિચુયાનની પરંપરા મુજબ લગ્ન પહેલા દુલ્હનને પુરો એક મહિનો રોવું પડે છે. જેને જીઓટાંગ વીધી કહેવાય છે. દરરોજ રાત્રે અડધી કલાક રોવું પડે છે. છેલ્લા દિવસોમાં કુટુંબની તમામ મહિલાઓ સતત રોવું પડે છે. સમગ્ર દુનિયામાં લગ્નનો અર્થ કોમન છે પણ તેની સાથે જોડાયેલા વિવિધ નિયમો ત્યાંની સંસ્કૃતિ મુજબના છે. લગ્નનો અર્થ આપણે ત્યાં નાચવું, ગાવું, સારૂ ભોજન અને દુલ્હા-દુલ્હનના ચાર ફેરા, વિદાય છે પણ એવું નથી. લગ્ન સંસ્કાર ભારતીય સંસ્કૃતિમાં અભિન્ન અંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.