Abtak Media Google News

યોગ ભારત ની  એક પ્રાચીન પરંપરા નો ભવ્ય વારસો છે મનુષ્ય ના સ્વચ્છ તન અને મન તાલમેલ નુ માધ્યમ એટલે યોગ. યોગ વ્યાયામ નો એવો પ્રભાવશાળી પ્રકાર છેકે જેનાથી કેવલ શરીર જ નહી મનુષ્ય ના મન અને આત્મા ને પણ સંતુલિત બનાવી શકાય છે. આજના આ ભૌતિકવાદી સમાજ મા માણસ તનાવ ગ્રસ્ત જીવનથી ઘેરાયેલ હોય છે સ્વચ્છ જીવનશૈલી અપનાવી ને જીવનમાં સાર્થક બનવા યોગ થી કોઈ ઉતમપધ્ધતિ નથી તેથી જ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિ ની ઉત્તમ પરંપરા ને યોગ વિદ્યા ને વિશ્ર વિરાસત મા સામેલ કરીને પ્રતીવર્ષ ૨૧ જુન ના દિવસ ને યોગ દિવસ જાહેર કર્યો છે ત્યારે ધોરાજી ની નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે યોગ દિવસ ની ઉજવણી કરાઈ હતી જેમાં સરકારી કર્મચારી હોદ્દેદારો આગેવાનો અલગ  શાળા ના વિદ્યાર્થી ઓ શાળા સંચાલકો શિક્ષકો તથા આમ જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.