સુરેન્દ્રનગરનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નાના કાંધાસર ગામે તારીખ ૫ અને ૬ જુલાઈ ૨૦૧૮ એમ બે દિવસીય સજીવ ખેતી અંતર્ગત ખેડુત તાલીમ યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત ખેડુત તાલીમાર્થીઓને બાયો પ્રોડકટનો વપરાશ વધારી, વર્મી કમ્પોસ્ટ વાપરવાની અને બનાવવાની પ્રત્યક્ષ રીતે સમજણ આપવામાં આવેલ હતી. આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિકો સર્વ એમ. એફ. ભોરણીયા, ડો. બી. સી. બોચલયા, ડો. આર. પી. કાલમા અને ડી. એ. પટેલે સજીવ ખેતી વિષયક વિશે અંગેની સમજ આપી હતી. આ તાલીમમાં ૧૧૦ જેટલા ખેડુત ભાઈ–બહેનો ઉપસ્થિત રહી જાણકારી મેળવેલ હતી. આ તાલીમમાં જી.સી.ભાલોડી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) સુરેન્દ્રનગર પણ ઉપસ્થિત રહેલ હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ