Abtak Media Google News

ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે શહેરમાં જુદા જુદા લોકઉપયોગી કામનો સિલસિલો આગળ ધપાવવામાં આવી રહેલ છે. તેવા જ એક ભાગરૂપે સાધુવાસવાણી કુંજ રોડથી શિવાલય સુધીના પેવરકામનું ખાતમુહૂર્ત મેયર બિનાબેન આચાર્ય તથા ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે વોર્ડ બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, શહેર ભાજપ મંત્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, અગ્રણીય અશોકસિંહ વાઘેલા, દીનેશભાઈ રાવલ, મનોહરસિંહ ગોહિલ, પુણેન્દ્ર શર્મા, વિલાશબા સોઢા, ઇલાબેન, ઘનશ્યામસિંહ સોઢા, શૈલેષભાઈ જેઠવા, જે.કે., પ્રવિણભાઈ ગોગિયા, દિગુભા જેઠવા, બાબુભાઈ પરેશા, કિરીટભાઈ, અશોકભાઈ, ગફારભાઈ વિગેરે બહોળી સંખ્યામાં વિસ્તારના રહીશો ઉપસ્થિત રહેલ અને પેવરકામનો શુભારંભ થતા આનંદની લાગણી વ્યક્ત કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.