Abtak Media Google News

આમાં કોરોનાના દર્દી સાજો કેમ થાય?

કલકેટર મુલાકાતે આવવાના હોવાથી મેડિકલ વેસ્ટનો અડધી રાત્રે નિકાલ: હોસ્પિટલમાં આગ જોઇ લતાવાસીઓ ઉમટ્યા

ગોંડલ કોવિડ હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી જ બાયોમેડિકલ વેસ્ટ હોસ્પિટલની અંદર જ  સળગાવીને નિકાલ કરતા ચેપ ફેલાય તેવી બેદરકારી દાખવવા બદલ જવાબદાર કોણ ? તેવા પ્રશ્ર્નો ઉઠવા પામ્યા છે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની હાલત કફોડી થવા રહી છે.

Advertisement

ગોડલ કોવિડ હોસ્પિટલની ચેકીંગ અર્થે કલેક્ટર આવવાના હોય જેમને સાફ સફાઈ કાયમી થતી હોય તેવો દેખાવ કરવા માટે રાત્રીના બે કલાકે બાયોમેડીકલ વેસ્ટ નો કચરાનો નિકાલ કરવાના બદલે હોસ્પિટલ અંદર જ સળગાવવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.હોસ્પિટલમાં રાત્રીના સમયે આગની મોટી જ્વાળાઓ જોવા મળતા હોસ્પિટલ બહાર દિવસ જેવું વાતાવરણ ઉભુ થયુ હતું. જેમની જાણ રાહદારીઓ અને આજુબાજુ વિસ્તારના લોકોને થતા પ્રથમ તો શું હોસ્પિટલમાં આગ લાગી કે શું તેવા પ્રશ્ર્નો લોકોમાં ઉઠ્યા હતાં.આ સાથે જ ઘણા લોકો હોસ્પિટલ ખાતે રાત્રીના સમયે ઉમટી પડયા હતાં.પરંતુ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં જ મેડીકલ વેસ્ટને સળગાવીને નિકાલ કરવામાં આવ્યો હોવાની વિગતો લોકોને જાણવા મળી હતી.ત્યારે કચરાનો નિકાલ મધ્ય રાત્રે જ સળગાવીને કર્યો અને એ પણ હોસ્પિટલમાં??

હોસ્પિટલના કચરાનો નિકાલ કરવા માટે પણ ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ: મોટાભાગે હોસ્પિટલના મેડીકલ વેસ્ટ કચરાનો નિકાલ સરકારના ચોક્કસ નિયમોને આધિન કરવાનો હોય છે.સરકારી હોસ્પિટલોમાં પણ કચરાનો નિકાલ કરવા માટે જિલ્લા વાઈઝ કોન્ટ્રાક્ટો આપીને કરવામાં આવે છે.ત્યારે રાજકોટ જિલ્લામાં મેડીકલ વેસ્ટના નિકાલ માટે ડીસ્ટ્રોમેડ પ્રાઈવેટ લિમિટેડ નામની ખાનગી કંપનીને આપવામાં આવ્યો હોવાની વિગતો બોલાઈ રહી છે.જેમના દ્વારા રાજકોટની બહાર મેડીકલ વેસ્ટનો નિકાલ કરવમાં આવી રહ્યો છે.

ભૂતકાળમાં ગોંડલમાં મેડીકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરતાં ખાનગી ડોકટરોને પકડી પાડીને નગરપાલિકાએ દંડ ફટકાર્યા હોવાના અહેવાલો ઉજગાર થયા છે.ત્યારે ગોંડલ ખાનગી તબીબો સંચાલિત કોવિડ-૧૯ હોસ્પિટલમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરવમાં માટે કોન્ટ્રાક્ટરો સાથે કરાર થયા છે કે નહી તેવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે. આમ છતાં હોસ્પિટલ સતાવાળાઓએ તાત્કાલિક ઘર આંગણે જ કચરો સળગાવીને મેડીકલ  વેસ્ટનો નિકાલ કેમ કર્યો તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.

ઘર આંગણે જ કોવિડ હોસ્પિટલમાં કચરો સળગાવવામાં આવતા હોસ્પિટલની ઈમારતની દિવાલો કાળી પડી જવા પામી છે. સેવાભાવી ડોક્ટરો ખરેખર ગોંડલની જનતાની સેવાજ કરતાં હોય અને દર્દીઓની કાળજી લેતાં હોય તો તેમને કોવિડ હોસ્પિટલમાં   ડોકટરોએ પહેરેલી કિટ ઈન્જેક્શન, દર્દીઓના કપડા, ગ્લોજ, માસ્ક તેમજ વેસ્ટ ભોજન સહિતના કચરાને સળગાવીને ત્યાંજ નિકાલ કરવાની ફરજ કેમ પડી આ સાથે સરકારના નિયમોનું કે પાલન ન કર્યુ તેવા પ્રશ્ર્નો સાથે આ બનાવ ગોંડલ આવતા ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય પણ બનવા પામેલ છે.આ સાથે જ જવાબદાર સામે કોરોનાના વધતા જતાં કેસોને લઈને કડક પગલાં ભરવાં પણ જરૂરી બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.