Abtak Media Google News

સંવત્સરી તથા ગણેશચતુર્થી પર્વ પ્રસંગે શુભેચ્છા તથા સમગ્ર જૈન સમાજના ભાઈઓ-બહેનોને મિચ્છામી દુક્કડમ  પદાધિકારીઓએ પાઠવ્યું છે.

મેયર ડો. પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા સુરેન્દ્રસિંહ વાળા, દંડક વિનુભાઈ ઘવાએ પવિત્ર સંવત્સરી નિમિત્તે મન, કર્મ, વચન દ્વારા કોઈ ભૂલ થઇ હોય તો સમગ્ર જૈન સમાજના ભાઈઓ, બહેનોને મિચ્છામી દુક્કડમ.

વિશેષ રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન ગણપતિજીની ગણેશ ચતુર્થી હોય તે પર્વ પ્રસંગે પણ સર્વ શહેરીજનોને શુભેચ્છા, સાથે સાથે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ગણપતિ ઉત્સવનું આયોજન થયેલ છે. ગણપતિ ઉત્સવ ખૂબ જ શાંતિપર્વક, ધામધૂમથી ઉજવવા તેમજ પંડાલની આજુબાજુ સ્વચ્છતા રહે, તથા ગણપતિ મહોત્સવ પૂર્ણ થવાના પ્રસંગે ગણપતિ વિસર્જન સમયે પણ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે આયોજકે ખાસ ધ્યાન આપવા અપીલ કરેલ, તેમજ આપણું શહેર સ્વચ્છ સુંદર અને રળિયામણું બને તેવું તેઓ આ પાવન પર્વ પ્રસંગે સંકલ્પ કરીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.