Abtak Media Google News

દ્વારકામાં ગુરૂવારે કથાકાર મોરારિબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇને સૌરાષ્ટ્રના અનેક લોકોની લાગણી દુભાઇ છે. ત્યારે ગઈકાલની ઘટના પર મોરારિબાપુએ કહ્યું છે કે, મારા તરફથી વાત પૂરી થાય છે.

આ ઘટના બાબતે તલગાજરડા ખાતે મોરારિબાપુએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે દ્વારકાધીશ મારા ઈષ્ટદેવ છે, હું ગયો હતો અને મારા તરફથી વાત પૂરી થાય છે.

અમુક લોકો આવેદનપત્ર આપવા માંગે છે તે બાબતે મોરારિબાપુએ જણાવ્યું હતું કે, કોઈએ ઉશ્કેરાવું નહીં, મારો સ્વભાવ છે હું માફી માંગનારો અને માફી આપનારો છું, મારા તરફથી આ બધું પુરૂ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.