Abtak Media Google News

લગ્નના સાત માસ બાદ જ નવોઢાના આપઘાતની પરિવારમાં આક્રંદ: કારણ અકબંધ

મોરબીના જસમગઢ ગામની વાડીએ નવોઢાએ ઝેર પી જવન ટુંકાવ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં લગ્નનના સાત માસ બાદ જ નવોઢાએ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના જસમગઢ ગામમાં વલ્લભભાઇની વાડીએ મજુરી કામ કરતા લલીતભાઇ માળીની પત્ની ગીતાબેન માળીએ ગઇકાલે સવારે વાડીએ ઝેરી દવા પી લેતા તેણીને ગંભીર હાલતમાં હોસ્5િટલ ખસેડવામાં આવી હતી.

પરંતુ સારવાર કારગત ન નિવડતા ગીતાબેનનું મોત નિપજયું હતું. ઘટનાની જાણ થતાં મોરબી પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સીવીલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ ગીતાબન અને લલીતભાઇના સાત માસ પહેલા જ લગ્ન થયા હતા. જેથી નવોઢાએ કયાં કારણોસર આપઘાત કયો તે જાણવા તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.