Abtak Media Google News

મોટા દહિસરા ગામે બીમારીથી કંટાળી સર્વિસ રિવોલ્વર વડે જીવન ટૂંકાવ્યું

માળીયા(મી)નાં મોટા દહિસરા ગામે રહેતા અને સાંસદ મોહનભાઈના કુંડારિયાના કમાન્ડોએ બીમારીથી કંટાળી રિવોલ્વરથી લમણે ગોળી ધરબી આત્મહત્યા કરી કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની વિગતો મુજબ ડેપ્યુટેશન પર સલામતી વિભાગ ગાંધીનગરમાં ફરજ બજાવતા અને રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારિયા ના કમાન્ડો તરીકે ફરજ બજાવતા અશ્વિન રાયધનભાઇ બાલાસરા (હાલ રહે. એસઆરપી રાજકોટ મુ.રહે.મોટા દહીંસરા તા.માળીયા(મી) વાળા છેલ્લા ઘણા સમયથી બીમાર હાલતમાં હતા.

જેઓને ફેફસાની બીમારી છે. અનેક પ્રકારની દવાઓ કરાવી છતાં બીમારી દૂર ન થતા અંતે કંટાળી આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. અશ્વિનભાઈ પોતાના વતન મોટા દહિસરા ગામમાં આવેલ ઘરે હતા જ્યાં તેમને આપેલ સર્વીસ હથીયાર ગ્લોક પીસ્ટલથી જ પોતાના લમણાના ભાગે ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું. જેની જાણ થતા જ માળીયા મી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને નોંધ કરી વધુ માળીયા(મી) પીએસઆઈ બી.ડી.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.