Abtak Media Google News

તા. ૨૮.૪.૨૦૨૪ રવિવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર વદ ચોથ, મૂળ  નક્ષત્ર, શિવ  યોગ, કૌલવ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.

વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય ,શુભ દિન .

મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો,વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.

કર્ક (ડ,હ)  : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.

સિંહ (મ,ટ) : વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.

કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ  લાભદાયક રહે.

તુલા (ર,ત) :  નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

વૃશ્ચિક (ન,ય) : તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.

મકર (ખ,જ) : બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું,  ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થહતી જણાય.

મીન (દ,ચ,ઝ,થ): વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ ,નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત  પરિણામ પ્રાપ્ત કરી શકો.

–આત્મઘાતનું પ્રમાણ પણ વધી રહ્યું છે

અગાઉ અત્રે લખ્યા મુજબ સમુદ્રમાં સંઘર્ષ વધ્યો છે અને હુતી વિદ્રોહીઓએ ભારત આવતા તેલ જહાજ પર મિસાઈલ મારો કર્યો છે તો યુદ્ધનો માહોલ પણ વધતો જાય છે ખાસ કરીને સમુદ્રમાં વધુ ઘટનાઓનું સર્જન થાય તેવો માહોલ છે વળી મંગળ રાહુ યુતિ પર અત્રે લખ્યા મુજબ ઘણા હાઈ પ્રોફાઈલ લોકોના કેન્સર કેઈસ સામે આવી રહ્યા છે જે વિષે હું જણાવી ચુક્યો છું તો બીજી તરફ આત્મઘાતનું પ્રમાણ પણ વધી રહ્યું છે જયારે આ સમયમાં મોટું હવાલા રેકેટ કે આર્થિક કૌભાંડ પણ સામે આવી શકે છે વળી આપણા પાડોશી દેશ ચીનની હરકતોમાં પણ વધારો થતો જોવા મળશે અને આ સમયમાં લોકો કારણ વિના એક મનોભાર અનુભવતા જોવા મળશે બહુ જલ્દી ગુરુ અને શુક્ર મહારાજ અસ્તના થવા જઈ રહ્યા છે જેથી ઘણા શુભ કાર્યમાં અવરોધ જોવા મળશે વળી સંબંધોમાં ગેરસમજ ઉભી થતી જોવા મળે અને ગુરુ સ્થાને કહી શકાય તેવા ઘણા ઉચ્ચ આસાન પર બિરાજમાન ધાર્મિક લોકોને તકલીફ પડતી જોવા મળે અને ધાર્મિક બાબતોના કારણે વિવાદ થતા પણ જોવા મળે વળી આ સમયમાં શો બિઝનેસ અને સીને જગત સાથે સંકળાયેલા લોકો અસ્તના શુક્રના કારણે કોઈ ને કોઈ મુસીબતમાં આવતા જોવા મળે.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી —- ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.