Abtak Media Google News

યુવતિની સગાઇ થયેલા યુવકની ચાર શખ્સોએ કરી ઘોલાઈ

ભાવનગર જિલ્લાના મઢડા-પાલિતાણા માર્ગ પર પુત્રની સગાઇ તૂટી ગયાનો ખાર રાખી. રત્નકલાકાર ઉપર બાબરાના ઇસાપર ગામના ચાર-શખ્સોએ હુમલો કર્યાનો શિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વધુ વિગત મુજબ શિહોર તાલુકાના મઢડા ખાતે રહેતા હરેશજી ભીખાજી પઢીયાર નામના રત્નકાલકારે બાબરાના ઇશાપર ગામના બોઘા બાબુજી સોલંકી, ગભરૂ સોલંકી, ગોપાલ બોઘાજી સોલંકી અને તખુજી બાબુજી સોલંકીએ પુત્રની સગાઇ તૂટી ગયાનો ખાર રાખી રત્નકલાકારને લાકડીના ધોકા વડે માર માર્યાની શિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાશમાં બાબરા તાલુકાના ઇસાપર ગામના મિતુલા નામની યુવતિ સાથે આરોપી ગભરૂભાઇ સોલંકીનો પુત્ર રાજ સાથે સગાઇ થયેલી બાદ આ સગાઇ યુવતિના પિતા ગભરૂભાઇને મંજૂર હોય અને સગાઇ તોડી નાખેલી બાદ મીતુબાની સગાઇ મઢડાના હરેશજી પઢીયાર નામના યુવક સાથે થતા જેનો ખાર રાખી મારમાર્યો ખુલતા પોલીસે ચાર-શખ્સો સામે ગુંનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.