Abtak Media Google News

કાલે  વિશ્વ મ્યુઝિયમ દિવસ

આ વર્ષની થીમ ‘મ્યુઝિયમસ સસ્ટેનેબિલિટી એન્ડ વેલબીંઈગ’ છે: દેશમાં 47માં

મ્યુઝિયમ ડે નિમિતે ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એકસ્પોનું આયોજન દિલ્હીના  પ્રગતિમાં યોજાયું છે જેમાં વિશ્વભરનાં સાંસ્કૃતિક કેન્દ્રો અને સંગ્રહાલયોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ ભાગ લઈ રહ્યા છે

ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે સંગ્રહાલયોની ભૂમિકાને  સમગ્ર વિશ્વમાં પ્રકાશીત કરાશે: વિશ્વભરમાં 1977થી આ દિવસ ઉજવાય છે

મ્યુઝિયમ કે સંગ્રહાલયમાં પ્રાચિન અલભ્ય વસ્તુને સાચવી રાખવામાં આવે છે.  આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને  સુરક્ષીત રાખવામાં સંગ્રહાલયની ભૂમિકા મહત્વની છે. દર વર્ષે આજે વિશ્વ મ્યુઝીયમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1977થી વૈશ્ર્વિક  સ્તરે મ્યુઝિયમ ડેની ઉજવણી કરાય રહી છે. જેનો મુખ્ય હેતુ સમાજમાંતેના મહત્વ વિશે લોક જાગૃતિનો હોય છે. ઈન્ટરનેશનલ  કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ સમગ્ર વિશ્વનાં મ્યુઝિયમોની વડી સંસ્થા છે.વિશ્વના તમામ દેશો પોત પોતાના દેશમાં આજે સંગ્રહાલય દિવસની ઉજવણી કરે છે.

2010થી પછી પ્રચાર પ્રસાર  વધતા વૈશ્ર્વિક  સંમેલનો પણ   યોજાવા લાગ્યા હતા જેમાં 2012ના છેલ્લા સંમેલનમાં 129 દેશોનાં 30 હજારથી વધુ મ્યુઝિયમોએ ભાગ લઈને  એક બીજા વચ્ચે આદાન  પ્રદાન કર્યું હતુ આપણા ગુજરાતમાં પણ વડોદરાના   રાજાએ  1895માં ઈજિપ્તનું મમી ખરીદયું હતુ જે આજે પણ મ્યુઝિયમમાં જોવા મળે છે. મ્યુઝિયમ ઉપરથી આપણને ખબર પડે છે કે આપણો ભૂતકાળ  કેવો હતો. ભવ્ય ઐતિહાસીક વારસો વાચવવા માટે મ્યુઝિયમ ઉપયોગી છે. સંગ્રહાલયમાં સોના-ચાંદીના   ધરેણાના નમૂના, તેની ડીઝાઈન, યુધ્ધ શસ્ત્રોના નમુના જેવી ધણી અલભ્ય  વસ્તુની  સાચવણી  કરવામાં આવે છે.

આપણો પ્રાચિન વારસો   આજના યુવા વર્ગને  ખાસ જાણવો જરૂરી છે. જેમાં પુરાતત્વીય  ઈતિહાસના નમૂના પ્રાણીઓના  અવશેષાો, અન્ય સાધન સામગ્રી, વાહન વ્યવહાર, શિલ્પકલા સાથે સંસ્કૃતિક અને સભ્યતા પણ  મ્યુઝિયમમાં જોવા મળે છે. કચ્છના  સંગ્રહાલય હમીરસર તળાવ સામે મહાદેવ નાકા પાસે ભૂજમાં 1877માં બનાવેલ ગુજરાતનું સૌથી જુનુ અને  પ્રથમ સંગ્રહાલય છે, જે બ્રિટીશ હુકુમતે નિર્માણ કરેલ હતુ. આજથી ત્રણ દિવસ માટે  વડનગર ખાતે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાય છે.  આજથી ત્રણ  દિવસ માટે  વડનગર ખાતે ઈન્ટરનેશનલ  કોન્ફરન્સ યોજાય છે.જેમાં યુનેસ્કો ના પ્રતિનિધિ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાનના મૂળ ગામ વડનગરને વિશ્વમાં હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે ઓળખ મળતા તેના ભવ્ય ઈતિહાસ અને વિરાસતની લોક જાગૃતિ  પ્રસરાવાશે આપણે પણ આપણા સંતાનોને દેશના પ્રાચિન વારસા સાથે સંસ્કૃતિનો ખ્યાલ આવા  મ્યુઝિયમ બતાવીને આપવો જરૂરી છે. દરેક દેશમાં પુરાતત્વ  વિભાગ સમગ્ર મ્યુઝિયમોની વ્યવસ્થા સંભાળતું હોય છે.

કૃષ્ણ નાગણો વચ્ચે બંધાયેલા હોય તેવી એક  અદભૂત કલાકૃતિ અમદાવાદનાં મ્યુઝિયમમાં સચવાયેલી છે જે 12માં  સૈકાની છે. 800 વર્ષ પહેલાની  કલાકૃતિ આજના તમામ યુવા વર્ગે જોવા જેવી છે. ભોજે મ્યુઝિયમમાં અમદાવાદનો  અમુલ્ય ખજાનો સચવાયેલો છે. દર વર્ષે અપાતી ઉજવણી થીમમાં   આ વર્ષે ખાસ  સંગ્રહાલયો સાંસ્કૃતિક વિનિમય, સંસ્ક્ૃતિના સંવર્ધન અને લોકો વચ્ચે  પરસ્પર સમજણ,   સહકાર અને શાંતિના  વિકાસનું એક  મહત્વ પૂર્ણ  માધ્યમ છે.   નો હેતુ સમાયેલ છે.

2023ની થીમમાં ટકાઉ વિકાસમાં મ્યુઝિયમની ભૂમિકાની વૈશ્ર્વિક વાત કરવામાં આવી છે.સંગ્રહાલયોમાં આપણી આસપાસની દુનિયાને બદલવાની શકિત છે. શોધના અનુપમ સ્થાનો, સાથે તે આપણને   આપણો ભૂતકાળ શીખવે છે.   અને નવા વિચારોની  દિશા ખોલે છે.  જે ભવિષ્યના સારા નિર્માણ માટે ઉપયોગી છે. આજના દિવસે મ્યુઝીયમ શિક્ષકો યુવા અને  વૃધ્ધાને નોલેજ આપશે મ્યુઝિયમની વોક આજના  યુગમાં  આપણને ધણી માહિતી શિખવી જાય છે.

મ્યુઝિયમો સામાન્ય રીતે  સ્થાનિક  સમુદાયો માટે અને   પ્રવાસીઓ વચ્ચે પણ શહેરને   અલગ અલગ  દ્રષ્ટિકોણથી સમજવામાં મોટી ભૂમિકા ભજવે છે.  કેટલાય સંગ્રહાલયો હવે નવી ટેકનોલોજી અને વિકાસ રજૂ  કરે છે. ડિજિટલ નવીનતા સંગ્રહાલયને વધુસુલભ અને આકર્ષક બનાવે છે. સંગ્રહાલયો સમાજને ઈતિહાસ, સંસ્કૃતિની સાચી સમજ આપે છે. 45 વર્ષથી ઉજવાતા આ દિવસ અને  મ્યુઝિયમો સમુદાય માટે એક અનન્ય  ક્ષણનું  પ્રતિનિધિત્વ  કરે છે.

આ  દિવસે મ્યુઝિયમો ટકાઉ પણઉ હાંસલ કરવાની  શકિત, ડિજીટલાઈઝેશન અને સુલભતાપર નવીનતા અને શિક્ષણ દ્વારા સમુદાયિક નિર્માણની ત્રિલેન્સ દ્વારા તેમના સમાજમાં સકારા ત્મક પરિવર્તન લાવવા કાર્ય કરે છે. સંગ્રહ અને  દસ્તાવેજોની સંભાળ અને એકસેસ, સંગ્રહાલયોનો   ઈતિહાસ, ભૂલી ગયેલી સ્મૃતિ કુટુંબની ઓળખ, મેમરી, સમુદાયોની ઓળખ સાથે દેશનું કે રાજયનું સાંસ્કૃતિક યાગેદાન પરત્વે મહત્વની  કામગીરી સાથે લોકશિક્ષણનું  અનેરૂ કાર્ય મ્યુઝીયમ કરે છે.

ગુજરાતના પ્રથમ ભૂજ મ્યુઝિયમમા 42 હજારથી વધુ અમૂલ્ય વસ્તુઓનો  સંગ્રહ છે.  18મી સદીનો સાત સુંઢવાળો સફેદ હાથી, સોનાનો  મયુર મુગટ, સાતમી સદીની ભગવાન બુધ્ધની મૂર્તિ, સિંધુ સંસ્કૃતિની વસાહતોનાં  ઉત્ખનન દરમ્યાન મળેલા વાસણો શકસમયના શિલા લેખો, ટીપુ સુલતાને કચ્છી ઘોડાને  બદલે આપેલ તોપ જેવી અનેક બહુમૂલ્ય વિરાસતો  મ્યુઝીયમમાં સંગ્રહીત છે. આપણી પ્રાચિન ભારતીય કોતરણી, ચલણી નાણું, નક્ષત્રોની ઉંચાઈ માપવાનું સાધન વિગેરે  આપણને સંગ્રહલાયોમાં જોવા મળે છે. ગમે ત્યાંય તમો ફરવા જાવ ત્યાં પરિવાર સાથે મ્યુઝીયમ અવશ્ય નિહાળીને આપણો પ્રાચિન વારસો   દરેક ભારતીયે  જાણવો જ જોઈએ.

વિશ્વના 10 સૌથી મોટા સંગ્રહાલયો

લુવર મ્યુઝિયમ-ફ્રાન્સ

સ્ટેટ હર્મિટેજ મ્યુઝિયમ રશિયા

મદ્રાસ મ્યુઝિયમ-ભારત

રાષ્ટ્રીય સંગ્રાલય-ચીન

મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ -યુ એસ

વેટિકન  મ્યુઝિયમ-વેટિકન સીટી

ટોકયો નેશનલ મ્યુઝિયમ -જાપાન

નેશનલ મ્યુઝિયમ ઓફ એન્થ્રોપોલોજી -મેકિસકો

વિકટોરીયા અને આલ્બર્ટ મ્યુઝિયમ-યુકે

રાષ્ટ્રીય સંગ્રહાલય-કોરીયા

દેશનું યુવાધન આપણા વારસાને ઓળખે

વિશ્વ મ્યુઝિયમ દિવસે ખાસ દેશનો યુવા વર્ગ અને શાળા-કોલેજ છાત્રો સંગ્રહાલયોની મુલાકાત લઈને આપણી સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને  ઓળખે તે જરૂરી છે. બરોડા, ભૂજ, જૂનાગઢ, રાજકોટ જેવા રાજયનાં વિવિધ શહેરો વિશાળ મ્યુઝિયમો આવેલા છે. ત્યાં સંગ્રહ કરેલી વસ્તુઓ, કલાઓ વિગેરે નિહાળીને આપણા પૂર્વજો  એ બનાવેલી વિવિધ કૃતિઓ સાથે ત્યારની સંસ્કૃતિનો અભ્યાસ કરવો જરૂરી છે. પ્રાચીન કાળની સંસ્કૃતિની વિવિધ બાબતોની માહિતી સંગ્રહાલયો  જ આપણને આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.