Abtak Media Google News

ઈજીપ્તની સુએજ નહેરમાં વહાણ ફસાઈ જતાં સમગ્ર વિશ્ર્વ અને ખાસ કરીને યુરોપ અને એશિયા વચ્ચેનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો છે. હજુ કેટલાક અઠવાડિયા સુધી સુએજ નહેરનો રસ્તો ખુલ્લો થાય તેવું લાગતું નથી. દરરોજના હજારો જહાજની અવર-જવર ધરાવતી સુએજ નહેર સમગ્ર વિશ્ર્વના વહાણવટા માટે ધોરી નસ બની રહી છે. 150 વર્ષ છતાં હજુ સુએજનો પર્યાય જગતને મળ્યો નથી. વિશ્ર્વના બે અલગ અલગ ભુખંડ અને દરિયાને રાતા સમુદ્ર મારફત જોડતી સુએજ કેનાલ વિશ્ર્વ માટે ધોરી નસ બની રહી છે. હજુ સુધી તેનો પર્યાય મળ્યો નથી. આધુનિક વિશ્ર્વમાં ભલે કાળા માથાનો માનવી ચંદ્રમાને હવે મંગળ ઉપર જવાની તૈયારી કરી રહ્યો હોય પરંતુ માલ પરિવહન માટે જગતને કાયમી ધોરણે જળ માર્ગની આવશ્યકતા રહે છે. પરિવહનમાં સૌથી કિફાયત ભાવે જળ પરિવહન થાય છે. જળ પરિવહન પછી માર્ગ પરિવહન અને સૌથી મોંઘુ વાયુ પરિવહન રહે છે. વિશ્ર્વની બદલાતી જતી આબોહવા અને પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવો વચ્ચે ફરીથી જળ માર્ગનો ઉપયોગ વધતો જ રહેશે ત્યારે સુએજ નહેરના વિકલ્પ માટે અભ્યાસ અને પ્રયત્નો તો થઈ રહ્યાં છે પરંતુ 1866માં 150 માઈલ લાંબો સંપૂર્ણપણે માનવ સર્જીત સુએજ નહેર યુરોપ અને એશિયાને જોડતો પ્રવેશદ્વારની જે રચના થઈ છે તે કેનાલનું હજુ કોઈ વિકલ્પ બન્યો નથી. એટોનમ સામ્રાજ્યની આ દેણગી હજુ બિનહરીફ અને એકમાત્ર બની રહી છે તેનો કોઈ વિકલ્પ નથી.

ભારત સહિતના તમામ વહાણો એકાદ-બે અઠવાડિયા સુધી વહાણવટુ ઠપ થઈ જશે. જાપાનની કંપનીની સુઈકિશન ક્રિશે નામનું જહાજ ફસાઈ ગયું છે જેમાં મોટાભાગના ક્રુ મેમ્બર ભારતીય હોવાનું જાણવા મળ્યું છે. આ જહાજ હજુ એકાદ અઠવાડિયા સુધી સરખુ નહીં થાય ત્યાં સુધી ભારતની નિકાસ વ્યવહાર સાવ અટકી પડશે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન અજય સહાએ જણાવ્યું હતું કે, હજુ સુએજ નહેરનો રસ્તો ખુલતા ચાર-પાંચ અઠવાડિયા થઈ જશે.

સુએજ શું છે, તેની રચના કેમ થઈ 1869માં 120 માઈલ લાંબો સંપૂર્ણપણે માનવસર્જીત જળમાર્ગ સુએજ નહેર તરીકે અસ્તિત્વમાં આવ્યું અને આ જળ માર્ગ યુરોપ અને એશિયાના જોડાણનું મુખ્ય રસ્તો બની ગયો છે. સુએજ કેનાલ ઈજીપ્તના સૈયદ બંદરથી ભારતીય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતો મુખ્ય રસ્તો બનીગયો છે. કોઈપણ પ્રકારના અવરોધ વગર વિશ્ર્વનો લાંબામાં લાંબો જળ માર્ગ તરીકે સુએજ સતતપણે વૈશ્ર્વિક ધોરણે ચાલતા વાહનોની અવર-જવર માટે વ્યસ્ત રહે છે. સુએજ કેનાલનું બાંધકામ 1869માં ઈજીપ્તના ઓટોમન સામ્રાજ્યમાં નિર્માણ થયું હતું. ત્યારબાદ ઈજીપ્ત સરકારના હાથમાં આવેલી આ સુએજ નહેરમાંથી દર 10 મહિને 20,000 જેટલા જહાજોની અવર-જવર થાય છે. રાજદ્વારી રીતે બ્રિટન અને ફ્રાન્સ દ્વારા દરિયાઈ રસ્તો અને યુરોપથી એશિયા સુધીનું અંતર ઘટાડવા સુએજ નહેરનું નિર્માણ થયું હતું. તત્કાલ સમયે બ્રિટીશ શાસન હસ્તકની સુએજ કેનાલ 1956થી ઈજીપ્ત સરકારના હાથમાં આવી છે. 1956માં જ્યારે ઈજીપ્તના રાષ્ટ્રપતિએ શાસન સંભાળ્યું ત્યારે સુએજનું માલીકીપણુ બદલાયું હતું. શીત યુદ્ધ સમયે યુરોપની પક્કડ સમગ્ર વિશ્ર્વમાં રહે એટલે સુએજનું નિર્માણ થયું હતું. ઈજીપ્ત સરકારે 1967 દરમિયાન અરબ-ઈઝરાયલ યુદ્ધ વખતે નહેર બંધ કરી હતી અને ફરીથી કર્નલ નાસરે તેની શરૂઆત કરાવી હતી. સુએજ કેનાલ અત્યારે 150 વર્ષે પણ વિશ્ર્વ માટે ખુબજ અગત્યનો જળ માર્ગ બની રહી છે. હજુ સુધી સુએજનો કોઈ પર્યાય બન્યો નથી. રશિયાએ હાલમાં સુએજ નહેરના વિકલ્પ તરીકે ઉતર સમુદ્ર જળમાર્ગ વિકસાવવાનું આયોજન કર્યું છે પરંતુ આ નવો જળમાર્ગ સમય અને ઈંધણની દ્રષ્ટિએ ખુબજ મોંઘુ પડે તેમ હોવાથી 150 વર્ષે પણ સુએજનો કોઈ પર્યાય મળ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.