Abtak Media Google News

વિવિધ હોદેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રભારી અને સાંસદ પ્રફૂલ પટેલના હસ્તે કાર્યાલય ખૂલ્લુ મુકાશે

ગુજરાત પ્રદેશ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ દ્વારા સૌરાષ્ટ્ર વિભાગના કાર્યાલયનું ઉદઘાટન ભૂ. કેન્દ્રીય મંત્રી ગુજરાત પ્રભારી અને સાંસદ પ્રફુલભાઈ પટેલના હસ્તે આગામી સોમવારે સવારે ૧૧ થી ૩ કલાક દરમ્યાન પ્રસંગ હોલ કોમ્પ્લેક્ષ, ગ્રાઉન્ડ ફલોર શોપ નં.૮ અને ૯,૧૫૦ ફૂટ રીંગરોડ, ખાતે થઈ રહ્યું છે.

આ પ્રસંગે પ્રમુખ અતિથિ પદે ધારાસભ્યો અને પ્રદેશ પ્રમુખ જયંતભાઈ પટેલ અને કાંધલભાઈ જાડેજા અતિથિ તરીકે કેન્દ્રીય નિરીક્ષકો રાજેન્દ્ર જૈન અને નરેશ મહેશ્ર્વરી તેમજ સૌરાષ્ટ્ર પ્રભારી મનહરભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સાથે શોભનાબેન પટેલ, ડો. જગદીશભાઈ દાફડા, લલીતભાઈ પટોળીયા, યુસુફભાઈ પરમાર, જીવનભાઈ કાબરીયા, અશોકભાઈ પટેલ, જમનભાઈ ઘેડીયા, હરેશભાઈ જાની, જયેશભાઈ વડોદરીયા, ગીરીશભાઈ જોષી, મનોજભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઈ ધરજીયા, મુકેશભાઈ સોનારીયા, ચાંદનીબેન ભીમાણી, રમેશભાઈ ભીમાણી, યુવરાજસિંહ લીંબડ, સત્યેનભાઈ પટેલ, હરિકૃષ્ણભાઈ જોષી, પંકજભાઈ ઠાકર સહિતના હોદેદારો કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને રાજકોટની જનતાને ઉપસ્થિત રહેવા અપીલ કરવામા આવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.