Abtak Media Google News

પોરબંદર: અડધી સદીથી વડીલોપાર્જીત મકાનમાં રહેતા વૃધ્ધા વિરુદ્ધ કરાયેલી ફરીયાદ સામે સ્ટે

લેન્ડ ગ્રેબીંગ એકટની જોગવાઈઓના દુરઉપયોગ થયેલો, હાઈકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ

અબતક રાજકોટ,
પોરબંદરનાં ”મીઠાવાળા પરીવારની વડીલોપાર્જીત મિલ્કતના પારીવારીક કલેશમાં ભત્રીજાએ ૯૨ વર્ષનાં ફઈબા તથા તેના પરીવાર સામે કરેલ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદમાં પોલીસની સમગ્ર તપાસ સ્થગીત કરવાનો આદેશ કરતા પોરબંદરમાં ચર્ચાનો વિષય બની ગયેલ છે.

આ કેસની વિગત મુજબ પોરબંદરના પ્રખ્યાત “મીઠાવાળા” પરીવાર તરીકે ઓળખાતા સ્વ. ગુણવંતરાય કામદારના પૌત્ર પ્રદિપ કામદારે તેના સગા ફઈબા અને ગુણવંતરાયના પુત્રી નંદબાળાબેન હીરાલાલ શાહ વિરૂધ્ધ પોરબંદર કલેકટરમાં લેન્ડ ગ્રેબીંગના કાયદા મુજબ અરજી કરતા કલેકટરની કમીટી દ્વારા અરજી ઉપરથી ફરીયાદ દાખલ કરવાનો નિર્ણય કરતા પ્રદિપ અનંતરાય કામદારએ તેના સગા ફઈબા નંદબાળાબેન હિરાલાલ શાહ તથા તેના પુત્રી, જમાઈ અને દોહીત્ર વિરૂધ્ધ પોલીસ ફરીયાદમાં જણાવેલ હતુ કે, ‘ત્રિભુ ટેરેસ’ વાડીયા રોડ ખાતે આવેલ આશરે પાંચ હજાર વાર જમીન સને-૧૯૪૮ ની સાલમાં તેના પિતા સ્વ. અનંતરાય ગુણવંતરાય કામદારનાએ રજીસ્ટર દસ્તાવેજથી ખરીદ કરેલી અને તેઓ મિલ્કતના સ્વતંત્ર માલિક હતા જે મિલ્કતમાં તેના પિતા અનંતરાયના દસ ભાઈ બહેનો હોય જે તમામ ઉપરોકત મકાનમાં સંયુકત કુટુંબમાં સાથે રહેતા હતા અને તે પૈકી ફરીયાદીના પિતા સ્વ. અનંતરાયના બહેન નંદબાળાબેન પણ છેલ્લા પચાસેક વર્ષથી તેમના પતિ અને પરીવાર સાથે ઉપરોકત મકાનમાં રહેતા હતા ત્યાર બાદ ફરીયાદીના પિતા અનંતરાયનુ અવસાન થતા તેની સીધીલીટીના વારસદારો તરીકે ફરીયાદી તથા તેના ભાઈ–બહેનોના નામો રેકર્ડ પર ચડાવવામાં આવતા તેઓ મિલ્કતના માલિક બનેલા. ફરીયાદમાં એવો પણ આક્ષેપ કરેલ કે, તેના ફઈબા નંદબાળાબેનની સાથે તેની દિકરી દિપ્તી, જમાઈ ઘીરેન તથા દોહિત્ર યશ પણ આ મિલ્કતમાં રહેવા આવેલા અને ફરીયાદીએ વારંવાર મિલ્કત ખાલી કરવા કહેવા છતા મિલ્કત ખાલી કરતા ન હોય લેન્ડ ગ્રેબિંગ મુજબનો ગુન્હો પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલો હતો.

ઉપરોકત ગુન્હો દાખલ થતા ફરીયાદમાં આક્ષેપીત તરીકે દર્શાવેલ નંદબાળાબેન તથા તેના પરીવારજનો દ્વારા હાઈકોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કલેકટર અને પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને ગેરબંધારણીય ગણાવી તેમની સામે દાખલ કરવામાં આવેલી ફરીયાદ રદ કરવા તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત અરજી દાખલ કરેલ હતી.

જે અરજીમાં મુખ્યત્વે એવી રજુઆત કરવામાં આવેલ કે, નંદબાળાબેન છેલ્લા પચાસ વર્ષ ઉપરાંતના સમયથી જે ઘરમાં રહે છે તે ઘર તેના પિતા ગુણવંતરાય દ્વારા ખરીદ કરવામાં આવેલ ફરીયાદી પણ તે પરીસરમાં તેના બીજા બે ભાઈઓ સાથે અલગ-અલગ બંગલાઓમાં રહે છે. અગાઉ સને-૨૦૦૪ની સાલમાં પણ ફરીયાદી તથા તેના ભાઈઓએ તેના વૃધ્ધ ફઈબા–ફુવા ઉપર હિંચકારો હુમલો કરેલ અને મિલ્કતનો કબ્જો જબરદસ્તીથી પચાવી પાડવા પેરવી કરતા પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી પરંતુ કેસ ચાલતા દરમ્યાન પરીવારના અન્ય સભ્યોની મધ્યસ્થી થી સમાધાન થયેલ હતુ જે હકીકતે ફરીયાદીએ કલેકટરની કમિટી તથા પોલીસ પાસે છુપાવેલું છે તેમજ લેન્ડ ગ્રેબીંગ એકટનો કાયદો અમલમાં આવ્યો તે પહેલાના પચાસ વર્ષ ઉપરાંતના સમયથી મિલ્કતના સ્વતંત્ર કબ્જામાં હોય ત્યારે અસરથી કાયદાની જોગવાઈઓ લાગુ પાડી શકાય નહી . ગેરબંધારણીય હોવાની દલીલો કરી લેન્ડ ગ્રેબીંગ એકટના કાયદાની વિવિધ જોગવાઈઓને પડકારેલ અને પોલીસની ફરીયાદ રદ થવા પાત્ર હોવાની રજુઆતો કરેલ હતી.

અરજદારો તરફે થયેલ કાયદા અને તથ્યો ઉપરની રજુઆતો ધ્યાને લઈ હાઇકોર્ટના મુખ્ય ન્યાયઘીશની ખંડપીઠ દ્વારા ફરીયાદી તથા પોલીસને નોટીસ કરી અરજદાર સામે થયેલ ફરીયાદની સમગ્ર પોલીસ તપાસ તથા કાર્યવાહી સ્થગીત કરતો હુકમ ફરમાવલો.

આ કામમાં અરજદારો વતી સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, ઈશાન ભટ્ટ, વિષ્ણુ બધ્ધદેવ રોકાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.