Abtak Media Google News

ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા 30 માર્ચથી તાલીમ વર્ગનો પ્રારંભ

ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા સ્વ. લતાબેન ડાંગરના સ્મરણાર્થે આગામી તા.30 માર્ચથી પીએસઆઈ-એએસઆઈ ભરતી માટેની નવી બેચનો પ્રારંભ થશે. આ બેચમાં માત્ર 60 વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને પ્રવેશ અપાશે.

સ્વ. લતાબેન ડાંગર એટલે આહીર સમાજને જેના પ્રત્યે પેઢીઓ સુધી ગર્વ રહેશે એ દિકરી. નાના ગરેડિયા ગામ (તા. ધ્રોલ, જી. જામનગર)ના વતની અને વર્ષ 2016માં જાહેર થયેલ પીએસઆઈ-એએસઆઈની ભરતીમાં આહીર સમાજની આ દિકરી પીએસઆઈ તરીકે પસંદ થયેલ પરંતુ ગાંધીનગર ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં જતી વખતે રસ્તામાં જ માર્ગ અકસ્માતમાં તેમનું અવસાન થયેલ. તેઓ ક્રિષ્ના ફાઉન્ડેશનના જ વિદ્યાર્થીની હતા માટે ક્રિષ્ના ફાઉન્ડેશન આ બેચ સ્વ. લતાબેન ડાંગરના સ્મરણાર્થે શરૂ કરે છે. બહેન આપ જ્યાં પણ હો ઈશ્ર્વર આપના જેવી શક્તિ, સામર્થ્ય અને સમજણ અમારા આ વિદ્યાર્થીઓને આપે અને આપણું અધુરૂ રહી ગયેલા સ્વપ્ન આ વિદ્યાર્થીઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે આ બેચ સ્વ. લતાબેન ડાંગરના સ્મરણાર્થે યોજાશે.

અત્રે નોંધનીય છે કે, તા. 22-3-21 થી તા. 26-3-21 સુધી પીએસઆઈ-એએસઆઈની ગંભીરતાપૂર્વક તૈયારી કરનારે જ એડમિશન લેવું. એડમિશનનો સમય સાંજે 6:30 થી 8 રહેશે તથા બેચ વિશેની વધુ માહિતી માટે ક્રિષ્ના ફાઉન્ડેશન, પરિશ્રમ સ્કૂલ, રામદેવપીર ચોકડી, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ મોબાઈલ નં. 9558337762 ટેલિગ્રામ ચેનલ: t.me/krishnafoundation ફેસબુક પેજ: www.facebook.com/krishnafoundationrajkot પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.