Abtak Media Google News

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક મહિલા પ્રસુતિ માટે કોરોના પોઝીટીવ સગર્ભા એડમીટ થયા હતા. અને દશ દિવસ બાદ સગર્ભા માતાના પેટમાં રહેલા બાળકે મુવમેન્ટ કરવાનુ બંધ કરતા. તાત્કાલિક સિવિલના ગાયનેક વિભાગમાં સિઝેરિયન કરી બાળકને જન્મ અપાવ્યો હતો.પરંતુ બાળકના જન્મ પછી નવી સમસ્યાઓ શરૂ થઇ હતી અને બાળકના હૃદયના ધબકારા એકદમ ઘટી ગયા હતા અને .શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ હતી. આ સમયે સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગની ડોકટરોની ટીમને બાળક સોપાયું અને બાળકને તુરંત સીપીઆર આપવા સાથે નીયોનેટલ કેર યુનીટમા બાળકની વેન્ટીલેટર સાથે સઘન સારવાર શરૂ કરવી પડી હતી. આમ જન્મના બે ચાર કલાકમાં જ નવજાત શિશુની વેન્ટીલેટર સહિતની સારવાર શરૂ કરવી પડી હતી.

ચાર દિવસની સિવિલના ચાઇલ્ડ વિભાગના નિષ્ણાંત તબીબો ડો. કેયુર કણસાગરા, ડો. કલ્પેશ બાખલકીયા, ડો. ધવલ દેલવાડીયા, ડો. માલદેવ ઓડેદરા, ડો.અંકુર પટેલ અને ડો.પારૂલ વાઘેલાની ટીમની રાત દિવસની મહેનત રંગ લાવી હતી. અને ચાર દિવસ પછી એ નવજાત બાળકની હાલતમાં સુધારો થતાં. શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને અન્ય પેરામીટર નોર્મલ થયા બાદ પાંચ દિવસ બાળકની પોસ્ટ વેન્ટીલેટર કેર લય ઇન્ટેક સર્વાઇવલ સાથે બાળક સ્વસ્થ થયુ હતું.

બાળકના માતા અસ્મિતાબેન કોરોના પોઝીટીવ હતા. જે સિવિલની સારવારથી સાજા થવા સાથે હસતું બાળક પણ તેમનો ખોળો ખુંદતુ હતુ. કોરોનાના કઠીન સમયમાં જૂનાગઢ સિવિલના તબીબોની ટીમની ઉમદા કામગીરીને બિરદાવતા બાળકના પીતા જેતપુરના બીપીનભાઈ માઢકે કહયુ કે સિવિલના ડોક્ટરો મારા બાળકને બચાવવા રાત દિવસ મહેનત કરી છે તેનો હુ સાક્ષી છુ. ખાનગી દવાખાને મારે ચાર પાંચ લાખનો ખર્ચ થાત અહિ મને તમામ સારવાર ફ્રીમા મળી છે. વેન્ટીલેટર નીયોનેટલ કેર યુનીટ સહિતની સારવાર લોકો માટે આશીર્વાદ રૂપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.