Abtak Media Google News

પીજીવીસીએલે પણ વીજ જોડાણ કાંપી નાંખ્યા

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા વરસો પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રોડ પર શહીદ ભગતસિંહ ગાર્ડન પાછળ બનાવવામાં આવેલ બે રહેણાંક બિલ્ડીંગ ખુબ જ ભયજનક સ્થિતિમાં હોઈ, સાવચેતીરૂપે બ્લોક નં.65 અને 66ના 24 ફ્લેટ ધારકો/કબજેદારોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ફ્લેટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત આજે આ બંને બ્લોકના પાણીના કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન પણ કાપી નાંખવામાં આવેલ છે. સાથોસાથ આ બંને બિલ્ડીંગના વીજ કનેક્શન કાપવા માટે પી.જી.વી.સી.એલ. ને પણ જણાવવામાં આવી છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડને પણ આ અંગે જાણ કરવામાં આવેલ છે.

નોટિસમાં જણાવ્યું હતું કે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડનાં બિલ્ડીંગનો મહતમ ભાગ ભયગ્રસ્ત થયેલ હોય, આ બિલ્ડીંગમાં વધુ નુકશાની થયેથી સમગ્ર બિલ્ડીંગને મોટા પાયે નુકશાન થવા કે બિલ્ડીંગનાં પડવાથી જાન-માલની નુકશાન થવાની સંભાવના હોય, જી.પી.એમ.સી.ની કલમ -264 અન્વયે ભયજનક ભાગ દુર કરી, ભયમુકત કરી સ્ટ્રકચર એન્જીનીયર પાસે સ્ટેબીલીટી સર્ટીફીકેટ મેળવી રજુ કરવા અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોટીસો આપવામાં આવેલ છે. આ બિલ્ડીંગ નું બાંધકામ જુનું હોઈ અને બિલ્ડીંગ જર્જરિત હોઈ, રાજકોટ મહાનગર પાલિકાના માન્ય સ્ટ્રકચર એન્જીનીયર પાસે સ્ટ્રકચરની સ્ટેબીલીટી ચકાસણી કરવામાં આવેલ છે. તેઓ દ્વારા આ બિલ્ડીંગના મહતમ ભાગો જર્જરિત હોઈ, આ સંપૂર્ણ બિલ્ડીંગ સંવેદનશીલ અને ભયજનક હોવાનું જણાવેલ છે, કુદરતી આપતી જેવી કે વાવાઝોડું, ભારે વરસાદ અને ભૂકંપ સામે સ્ટ્રકચરલી સ્ટેબલ ન હોવાનો રીપોર્ટ આપેલ છે. સંપૂર્ણ બિલ્ડીંગ ખૂબજ ભયજનક સ્થિતીમાં હોય, આ બાંધકામ પડી જાય તો ગંભીર પ્રકારની જાનહાની થઇ શકે તેવી સંભાવના જણાય છે. આ કારણથી સદરહું બાંધકામનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા માટે આ બિલ્ડીંગનાં ફ્લેટમાં રહેતા માલિક/કબજેદારોને નોટીસ જી.પી.એમ.સી. એકટની કલમ -268 અન્વયે કબજામાં રહેલ મિલ્કતનો ઉપયોગ આ નોટીસ મળ્યેથી સત્વરે બંધ કરવા જણાવેલ છે. તેમાં કસુર થયે જી.પી.એમ.સી.એ એકટની કલમ-268 અન્વયે કાયદાનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તેમ કરતા જો કોઇ ખર્ચ નુકશાન થશે તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.