Abtak Media Google News

જાહેર ક્ષેત્રની બેંકો વિશ્વસનીયતા અને માર્કેટ શેર ગુમાવે તે પહેલા તેમનું ખાનગીકરણ કરવાનો ઈન્ફોસીસના ચેરમેન નંદન નીલેકાણીનો મત

જાહેર ક્ષેત્રની બેંકો વિશ્વસનીયતા ગુમાવે અને કૌભાંડોના ભોરીંગમાં ફસાઈ જાય તે પહેલા તેમનું ખાનગીકરણ કરી નાખવું જોઈએ તેવો મત અનેક વખત વ્યકત થઈ ચૂકયો છે. ત્યારે ઈન્ફોસીસના ચેરમેન નંદન નીલેકાણીએ પણ બેંકોના ખાનગીકરણ માટે સલાહ આપી છે.

Advertisement

બેંકોનું ખાનગીકરણ કરવાી કરદાતાઓ અને સરકાર બન્નેને ફાયદો થશે તેવો મત તેમણે વ્યકત કર્યો છે.

હાલ જાહેર ક્ષેત્રની બેંકો ચાર ટકા જેટલો માર્કેટ શેર ગુમાવી ચુકી છે. આજની તારીખે જાહેર ક્ષેત્રની બેંકોનો માર્કેટ શેર ૭૦ ટકા છે. આવતા ૧૦ વર્ષમાં આ બેંકોનો માર્કેટ શેર માત્ર ૧૦ ટકા થઈ જાય તેવી દહેશત છે.

તેમણે ઉમેર્યું હતું કે, બેંકોની જેમ જાહેર ક્ષેત્રની એરલાઈન સો પણ આવી ઘટના બની રહી છે. તેમનો કહેવાનો મતલબ હતો કે, એર ઈન્ડિયાનું પણ ખાનગીકરણ વહેલી તકે થવું જોઈએ. જાહેર ક્ષેત્રની સંસ્થાઓ સંપૂર્ણ વિશ્વાસ ગુમાવી દે અને માર્કેટ શેર પણ હામાંથી સરકી જાય તેવી દહેશત તેમણે વ્યકત કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.