Abtak Media Google News

આજીડેમમાં નર્મદાનાં નીરને વધાવવા દેશનાં પાણીદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધાર્યા હતા ત્યારથી જ સૌરાષ્ટ્ર-રાજકોટ પર જાણે મેઘ મહેર છવાઇ હોય તેમ અવિરત વરસાદ વરસી રહ્યા છે ત્યારે આજીડેમમાં ૧૪ ફૂટ સુધી નર્મદાની નીર ભરાતા તેને સ્થગિત કરવામાં આવ્યા હતા જેનાં પછીથી વરસાદી માહોલમાં આજીડેમમાં નવા વરસાદી પાણીની આવક થવા લાગી છે જેનાંથી અત્યાર સુધીમાં આજીડેમની સપાટી ૨૧ ફૂટ પહોંચી છે જો આ રીતે જ વરસાદ વરસવાનું ચાલુ રાખશે તો આજીડેમને ૨૯ ફુટ ભરાતા અને ઓવર ફ્લો થવામાં વાર નહીં લાગે..જે અનુસંધાને નર્મદાનીરની આવક ફરી સપ્ટેમ્બરમાં શરૂકરવાની સંભાવના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.