Abtak Media Google News

રાજકોટમાં મકાન સમારકામ દરમિયાન દુર્ઘટના બની હતી જેમાં મકાન સમારકામ દરમિયાન છજુ ધરાશાઈ થતા એક વ્યકિતનું મોત થયું છે. અને એક ની હાલત ગંભીર છે. ઘટના થયેલી થોડી ક્ષણોમાં સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ બોલાવી લેવામાં આવી હતી અને બીજા ગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં મકાનના ઇનોવેશન ની કામગીરી દરમિયાન છજુ પડવાની ઘટનાથી  એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા

મળતી માહિતી અનુસાર ઘટના સ્થળે મૃત્યુ પામેલ શ્રમિક બબલુભાઈ મધ્યપ્રદેશના રહેવાસી હતા સ્થાનિકોએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે કામગીરી દરમિયાન બેદરકારી રાખવામાં આવી ન હતી છતાં પણ દુર્ઘટના બની હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાના પગલે આસપાસના સ્થાનિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.