Abtak Media Google News

મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ધરણામાં જોડાયા: રાજકોટમાં મોહનભાઇ કુંડારીયાની આગેવાનીમાં ઉપવાસ

સંસદના બજેટ સત્રના બીજા તબકકામાં કોંગ્રેસ સહિતના વિપક્ષના હંગામાના પગલે કોઈ કામકાજ થયું નહોતું. લોકસભા અને રાજયસભામાં પણ અમુલ્ય સમયનો વેડફાટ થયો હતો. તેના વિરોધમાં ટીમ મોદી આજે અનશન પર છે. આ ઉપવાસ છતાં વડાપ્રધાન મોદી પોતાના રોજીંદા કાર્યક્રમને વળગી રહેશે. મોદી તેમના નિવાસ સ્થાન લોક કલ્યાણ માર્ગ ખાતેથી કામકાજ જારી રાખશે.

Advertisement

કોંગ્રેસના વિકાસ વિરોધી, વિભાજનકારી, એજન્ડા અને બિન લોકતાંત્રીક શૈલીને લોકો સમક્ષ ઉઘાડી પાડવા મોદી સરકારના સાંસદો એક દિવસના ઉપવાસમાં જોડાયા છે. દેશભરમાં ધરણાનું આયોજન થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ અન્ય મંત્રીઓ પણ અનશન પર બેઠા છે.

મુખ્યમંત્રી રૂપાણી ગાંધીનગર ખાતે ધરણા કરશે. જયારે નીતિનભાઈ પટેલ મહેસાણા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદિપસિંહ જાડેજા સુરત ખાતેી અનશન કરશે તેમજ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી બરોડા ખાતેથી ધરણામાં જોડાશે.

દક્ષિણ ઝોનમાં ડાંગમાં રમણભાઈ પાટકર, વલસાડમાં ડો.કે.સી.પટેલ, મંગુભાઈ પટેલ, નવસારીમાં સી.આર.પાટીલ, સુરત શહેરમાં પ્રદિપસિંહ જાડેજા, દર્શનાબેન જરદોશ, સુરત જિલ્લામાં પ્રભુભાઈ વસાવા, ભરતસિંહ પરમાર, તાપીમાં ગણપતભાઈ વસાવા, ભરૂચમાં મનસુખભાઈ વસાવા તથા નર્મદામાં ઈશ્ર્વરભાઈ પરમાર, મધ્ય ઝોનમાં વડોદરા શહેર અને જીલ્લામાં જીતુભાઈ વાઘાણી, રંજનબેન ભટ્ટ, છોટા ઉદેપુરમાં રામસીંગભાઈ રાઠવા, પંચમહાલમાં પ્રભાતસિંહ ચૌહાણ, ભાર્ગવભાઈ ભટ્ટ, મહિસાગરમાં લાલસિંહ વડોદિયા, દાહોદમાં જશવંતસિંહ ભાભોર, આણંદમાં કૌશિકભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, ખેડામાં શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, દેવુસિંહ ચૌહાણ, ઉતર ઝોનમાં કર્ણાવતી શહેરમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્રભાઈ પટેલ, કિરીટભાઈ સોલંકી, ગાંધીનગરમાં શંભુપ્રસાદજી ટુંડીયા, ભરતભાઈ પંડયા, સાબરકાંઠામાં આઈ.કે.જાડેજા, દિપસિંહ રાઠોડ, અરવલ્લીમાં ગોરધનભાઈ ઝડફીયા, જયસિંહ ચૌહાણ, મહેસાણામાં નીતિનભાઈ પટેલ, જયશ્રીબેન પટેલ, પાટણમાં કે.સી.પટેલ, લીલધરભાઈ વાઘેલા, બનાસકાંઠામાં હરીભાઈ ચૌધરી, કાનાજી ઠાકોર, કચ્છમાં વિનોદભાઈ ચાવડા, સૌરાષ્ટ્ર ઝોનમાં જામનગરમાં આર.સી.ફળદુ, પુનમબેન માડમ, દેવભૂમિ દ્વારકામાં જયંતિભાઈ ભાનુશાળી, મુળુભાઈ બેરા, કાળુભાઈ ચાવડા, મેઘજીભાઈ કણઝારીયા, રાજકોટ શહેર તથા જિલ્લામાં શંકરભાઈ ચૌધરી, મોહનભાઈ કુંડારીયા, મોરબીમાં જયંતિભાઈ કવાડીયા, કાન્તીભાઈ અમૃતિયા, જુનાગઢમાં રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથમાં ચુનીભાઈ ગોહિલ, પોરબંદરમાં બાબુભાઈ બોખીરીયા, કિશોરભાઈ કાનાણી, અમરેલીમાં નારણભાઈ કાછડીયા, ભાવનગરમાં ભારતીબેન શિયાળ, બોટાદમાં સૌરભભાઈ પટેલ, બાબુભાઈ જેબલીયા, સુરેન્દ્રનગરમાં દેવજીભાઈ ફતેપરા અને રમણલાલ વોરા ઉપવાસ પર બેઠા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.