Abtak Media Google News

રાજયની ભાજપા સરકાર દ્વારા શહેરના માધાપર ચોકડી ખાતે ઓવરબ્રીજ બનાવવાના નિર્ણયને વધાવતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા છે. વધતી જતી ટ્રાફિક સમસ્યાઓને ધ્યાનમાં લઈ રાજય સરકાર દ્વારા ગુજરાતભરમાં ઓવરબ્રીજ, અંડરબ્રીજ, ફલાયઓવરબ્રીજ કરોડોના ખર્ચે નિર્માણ કરી રહી છે ત્યારે રાજકોટની ભાગોળે આવેલ માધાપર ચોકડી ખાતે દિવસેને દિવસે ટ્રાફીક સમસ્યાઓ વધતી જતી સમસ્યાઓને ધ્યાનમાં લઈ માધાપર ચોકડી ખાતે રૂ.૬૦ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રીજ બનાવવાનો નિર્ણય કરેલ છે.

Advertisement

માધાપર ચોકડીથી પસાર થતા અમદાવાદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી તરફ અવરજવર કરતા લોકોને ટ્રાફિક સમસ્યાઓમાંથી મુકિત મળશે અને આના કારણે રાજકોટના વેપાર ઉધોગને પણ વેગ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.