Abtak Media Google News

સરકારે અત્યાર સુધી 4 વખત લિંક કરવાની અવધિ વધારી છે

આધાર અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો કોઈ વ્યક્તિ આ સમય મર્યાદામાં તેના પાનકાર્ડ અને આધારને લિંક નહીં કરે તો તેનું પાન કાર્ડ ડેએક્ટીવેટ થઈ જશે. આ માટે દંડની જોગવાઈ પણ છે. નાણાં મંત્રાલયે આધાર કાર્ડને ઓનલાઈન પાન કાર્ડ સાથે લિંક કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 નિશ્ચિત કરવામાં આવી છે અને 1000 રૂપિયાનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એક વખત સરકાર વધુ છ મહિના માટે પાન આધારને લિંક કરવાની સમય સુધી વધારે તેવી હાલ શક્યતા સેવાઈ રહી છે.

કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન મોદીને પત્ર લખી વધુ છ મહિના આ લિંક કરવાની કામગીરી લંબાવવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે હવેની પ્રક્રિયા નિશુલ્ક કરવામાં આવે. જો સરકાર આ માંગ સ્વીકારે તો વધુ છ મહિનાનો સમય નાણાં મંત્રાલય, મહેસૂલ વિભાગને તમામ સ્થાનિક અને સબ પોસ્ટ ઓફિસોને સશક્ત કરવા માટે આપો જેથી લોકોને તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં મદદ કરી શકાય.

અત્યાર સુધી સરકારે પાન અને આધારને લિંક કરવાની સમય સુધી ચાર વખત લંબાવી છે ત્યારે પાંચમી વખત પણ લંબાવવામાં આવે તો નવાઈ નહીં હાલ રિટર્ન ફાઇલ કરવા માટે પણ આધારને સરકારે ફરજિયાત કરી દીધું છે એટલું જ નહીં નવું પાનકાર્ડ મેળવવા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે જેથી સરકાર વધુને વધુ ભાર પાન અને આધાર લિંક કરવા ઉપર આપી રહી છે અને ક્યાંક ને ક્યાંક હજુ પણ લોકોએ જે લિંક ન કરાવી હોય તેમના માટે આ પાંચમી વખત પણ સમય અવધિ વધારાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.