Abtak Media Google News

પરિવારથી જુદા થવાના કારણે પતિ સાથે ઝઘડો થતા પત્નીએ બે સંતાનો સાથે કર્યો આપઘાતનો પ્રયાસ: પરિણીતા સામે નોંધાયો ગુનો

શિહોરના નેસડા ગામે પરિવારથી જુદા થવાના પ્રશ્ર્ને છેલ્લા છ માસથી દંપત્તી વચ્ચે ચાલતા ઝઘડના કારણે પરિણીતાએ પોતાના બે માસુમ બાળકોને એસિડ પીવડાવી પોતે ગટગટાવી લેતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે પરિણીતા સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શિહોર તાલુકાના નેસડા ગામે રહેતી હીરાબેન રઘુભાઇ ડાંગર નામની આહિર પરિણીતાએ પોતાની ચાર વર્ષની પુત્રી તન્વી અન્બે વર્ષના પુત્ર ત્રિલોકને એસિડ પીવડાવી પોતે પી લેતા ત્રણેયને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હીરાબેન કુવાડીયાના આઠેક વર્ષ પહેલાં રઘુભાઇ ડાંગર સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન બે બાળકોના જન્મ થયા બાદ પરિવારથી જુદા થવાના પ્રશ્ર્ને છેલ્લા છ માસથી પતિ રઘુભાઇ ડાંગર સાથે માથાકૂટ ચાલતી હોવાથી બંને બાળકોને એસિડ પીવડાવ્યા બાદ પોતે ગટગટાવી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

શિહોર પોલીસે રઘુભાઇ ગેમાભાઇ ડાંગરની ફરિયાદ પરથી તેની પત્ની હીરાબેન સામે બંને બાળકોને મારી નાખવાની કોશિષ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.