Abtak Media Google News

ધોરાજીમાં ગોંડલ સંપ્રદાયના જૈન મુનિ પૂ. ધીરજમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ઉનાળુ છાશ યોજના માદરે વતન પ્રેમી હાલ કલકત્તા દિનેશભાઈના માતા ગુલાબબેન કેશવલાલ વોરા (ઘી વાળા)ની સ્મૃતિમાં લીધેલ છે. આ ઉનાળુ છાશ યોજના અંતર્ગત ધોરાજી જૈન સ્થાનકવાસી સંઘ દ્વારા ધોરાજીની કામદાર શેરીમાં રોજ સવારે 10:00 કલાકે 80થી 90 લીટર છાશનું વિતરણ લોકોને કરવામાંં આવ્યું હતું.

આ છાશ વિતરણ માં ધોરાજી ગોંડલ સંઘના પ્રમુખ શરદભાઈ દામાણી, કમલભાઈ મોદી તેમજ કામદાર શેરી યુવક મંડળના ભાઈઓ હાજર રહ્યા હતા આ તકે આ છાશના વ્યવસ્થાપક કમલભાઈ મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘ આવી જ ઘણી બધી સેવાકિય પ્રવૃત્તિઓ કરે છે.અને નગજનો સેવા ઓને બીરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.