Abtak Media Google News

આવતીકાલે સવારે 9:30 પૂ.વનિતાબાઈ મ.સા.ની નિશ્રામાં પૂ. રક્ષિતબાઈ મ.સા.ની ગુણાનુવાદ સભા

અનકાઈ તિર્થભૂમિ મા આરાધના ઉદ્યાન મા બિરાજીત સ્વ. સાધક ગુરુદેવ ના સુશિષ્ય પૂ  ચેતનમુનિ મ.સા. તથા તપસ્વી રત્ના પૂ.  કિરણબાઈ મહાસતિજી ના સુમંગલ સાનિધ્યે આરાધના ની આલેખ જગાડનાર અનશન આરાધિકા ઉત્સાહધરા સ્વ. પૂ. ઉષાબાઈ મહાસતિજી ના સુશિષ્યા પૂ.  રક્ષિતાબાઈ મહાસતિજી   નો આજે 38 મા ઉપવાસે સાતા પૂર્વક એવમ સમતા પૂર્વક સંથારો સીજી ગયેલ છે.

પૂ. મહાસતિજી અનંતા કર્મોના નિર્જરા કરી રહેલા હતા. અનશન આરાધિકા પૂ. ભાગ્યવંતાબાઈ મહાસતિજી બાદ પૂ. પ્રાણ પરિવાર   મા સંથારા નો અનોખો અવસર આવેલ હતો. સાધ્વીરત્ના પૂ. પરિજ્ઞાબાઈ મહાસતિજી તથા સાધ્વીરત્ના પૂ. જાગૃતીબાઈ મહાસતિજી વૈયાવચ્ચ કરી રહ્યા હતા. પૂ. રક્ષિતાબાઈ મહાસતિજી   ની પાલખીયાત્રા  અંકાઈ મુકામે આજે બપોરે 3:00 કલાકે  રાખવામા આવેલ છે.

ગુણાનુવાદ સભા :રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પૌષધશાળા ના આંગણે  કાલે તા. 10-5-2022 ને મંગળવાર ના રોજ સવારે 9:30 કલાકે ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. એવમ તપસ્વીની પૂ. વનિતાબાઈ મહાસતિજી આદી ઠાણા ની નિશ્રામા પૂ. રક્ષિતાબાઈ મહાસતિજીની ગુણાનુવાદ સભા  રાખવામા આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.