Abtak Media Google News

પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે 13 જેટલી યોજનાઓના અંદાજીત 1000થી વધુ લાભાર્થીઓ આપશે હાજરી

“આઝાદીના અમૃત મહોત્સવ” ભાગરૂપે આવતી કાલે તા. 31 મે ના રોજ યોજાનારા ગરબી કલ્યાણ મેળામાં પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ સાથે રાજકોટ જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાશે.

જેમા પ્રધાનમંત્રી આવાસ, પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સ્વનિધિ યોજના, વન નેશન વન રેશન કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્માન ભારત, પી.એમ. જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજના, વિગેરે 13 જેટલી યોજનાઓના અંદાજીત 1000 થી વધુ લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. જેમાંથી સબંધીત વિભાગવાર 25 લાભાર્થીઓને સ્થળ પર લાભ આપવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.