Abtak Media Google News

ગોપીનાથજી હવેલી પાસે સાત શખ્સોએ આંતરી યુવાનના પેટમાં અને માથામાં છરીના ઘા ઝીંકવા

પોરંબદરના રબારી કેડા રામનાથ મંદિર પાસે રહેતા યુવકને જૂની અદાવતના કારણે ખારવાવાડના સાત શખ્સોએ ગોપીનાથ હવેલી પાસે આંતરી પેટમાં અને માથામાં છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે સાતેય શખ્સો સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના રામનાથ મંદિર પાસે રહેતા અને છોેટા હાથી ચલાવી ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા માંડાભાઇ રાઘવભાઇ મકવાણા નામના 27 વર્ષના યુવાન પર છરીથી ખૂની હુમલો કર્યાની ખારવાવાડના પ્રિન્સ ચૌહાણ, મિતેષ ચૌહાણ, ધવલ ભરાડા, મિતેષ ગોહેલ, મનન ભૂતિયા અને તુસીલ ગોહેલ નામના શખ્સો સામે કિર્તી મંદિર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

માંડાભાઇ મકવાણાને ત્રણેક માસ પહેલાં પ્રિન્સ ચૌહાણ સાથે ઝઘડો થયો હોવાથી બંન વચ્ચે અદાવત ચાલે છે. દરમિયાન ગઇકાલે રાત્રે માંડાભાઇ મકવાણા પોતાની છોટા હાથીમાં હેવલીનો માલ સામાન ભરવા ગયો હતો ત્યારે તેન પ્રિન્સ ચૌહાણ સહિતના શખ્સોએ પોતાનું બાઇક આડુ રાખી આતરીને પેટમાં અને માથામાં છરીના ઘા મારી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. પી.આઇ.સી.વી.નાયક સહિતના સ્ટાફે સાતેય શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.