Abtak Media Google News

વિવિધ સમાજ દ્વારા રાષ્ટ્રીય અઘ્યક્ષ તોગડીયાનું સ્વાગત: હિન્દુ સમાજને સંગઠીત બનાવા આહવાન

કાલાવડ ખાતે વિશ્ર્વ હિન્દુ પરીષદ ગુજરાતનો શિક્ષા વર્ગ શીશુ મંદીર ખાતે ચાલી રહયો છે. જેમાં વિશ્ર્વ હિન્દુ પરીષદના રાષ્ટ્રીય અઘ્યક્ષ પ્રવીભાઇ તોગડીયા એક દિવસ ઉ૫સ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

આ શિક્ષા વર્ગમાં હાજરી આપતા સમયે કાલાવડ રણુજા રોડ ઉપર આવેલ જે.પી.એ. સ્કુલમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. અને ઓર્ગોનીક ખેતી અંગે માહીતી આપી હતી. ત્યારબાદ નગરપાલીકાના પ્રમુખ દ્વારા પ્રવીણભાઇનું ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ શિક્ષા વર્ગમાં હાજર રહી પ્રવચન આપેલ હતું. જણાવેલ હતું કે હિન્દુ સમાજ સંગઠીન બને તે અંગે વિસ્તારથી સમજ આપી હતી અને વિવિધ સમાજના અગ્રણ્ય દ્વારા પ્રવીણભાઇનું સ્વાગત કરવામાં આવેલ હતું.

આ શિક્ષા વર્ગમાં વિશ્ર્વહિંદુ પરીષદ ગુજરાત પ્રદેશના પ્રમુખ રણછોડભાઇ ભરવાડ, આર.એસ.એસના કિશોરભાઇ મુંગલપરા, સામાજીક સગરસતા અભિયાન સમીતીના દેવજીભાઇ રાષ્ટ્રીય સંગઠન મંત્રી દિનેશચંદ્ર જૈન તેમજ વિ.હ.પ. ના અગ્રણીઓ હાજ રહી વર્ગના શિક્ષાર્થીને જરુરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.