Abtak Media Google News

શાહમીના હુસેન, અશ્ર્વિની કુમાર, સોનલ મિશ્રા, આર.સી. મીના અને મનિષ ભારદ્વાજનું પ્રમોશન: જય પ્રકાશ શિવહરેની જીયુવીએનએલમાં બદલી

અબતક-રાજકોટ

રાજ્ય સરકાર દ્વારા પાંચ આઇએએસ અધિકારીઓને અગ્રસચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે એક આઇએએસ ઓફિસરની બદલી કરવામાં આવી છે. જે પાંચ સનદી અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યુ છે તે પૈકી ચારને મૂળ જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે જ્યારે શ્રીમતી શાહમીના હુસૈનને આરોગ્ય વિભાગના કમિશનર બનાવવામાં આવ્યા છે.

Untitled 2 13

રાજ્ય સરકાર દ્વારા યુવા અને સાંસ્કૃતિક સેવા વિભાગના સચિવ અશ્ર્વિની કુમાર, ગ્રામ વિકાસ વિભાગના સચિવ સોનલ મિશ્રા, સ્વીપાના જનરલ ડાયરેક્ટર રમેશચંદ્ર મીના, કૃષી અને સહકાર વિભાગના સચિવ મનીષ ભારદ્વાજને અગ્રસચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તેઓને તમામને મૂળ જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત શાહમીના હુસૈનને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેઓ હાલ જીયુવીએનએલના એમડી તરીકે ફરજ બજાવતા હતા. તેઓની આરોગ્ય વિભાગના કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.

જ્યારે આરોગ્ય વિભાગના કમિશનર જયપ્રકાશ શિવહરેની બદલી કરવામાં આવી છે. તેઓને જીયુવીએનએલના એમડી બનાવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.