Abtak Media Google News

પૌરાણીક માન્યતા મુજબ નાની બાળાઓ મોળાવ્રત એટલે કે ગૌરી વ્રતમાં અગીયારસથી પુનમ સુધી એમ પાંચ દિવસ સુધી ઉપાસના કરે છે અને મીઠા વગરનું ખાય છે અને માટીના કોડીયામાં જવારા વાવીને ખેતલીયાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને પાંચમા દિવસે ગોરમાનું પુજન કરવામાં આવે છે.

આ પ્રસંગે ધોરાજીની ગોકુલ ધામ ગૌશાળા ખાતે નાની નાની બાળઓને ગૌરીવ્રત માટે પાણીના હોજ ભરી આપવામાં આવેલ છે. અને પાંચ દિવસ સુધી દરેક બાળાઓને પ્રસાદ રુપે લાણીઓ નું ગૌકુળધામ ગૌશાળા દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે. આ તકે વિશાળ સંખ્યામાં બાળાઓ તથા વાલીઓ હાજર રહી પૂજા અર્ચના કરેલ અને ગોકુલધામ ગૌશાળાની સેવાઓને બીરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.